પાકિસ્તાન ડિફોલ્ટ થવાથી બચવા મહત્વની 5 કંપનીઓમાં હિસ્સો UAEને વેચશે


  • Published By :
  • Published Date : 2023-01-31 13:53:24

પાકિસ્તાન આર્થિક સંકટથી ડિફોલ્ટ થવાની સ્થિતીએ પહોંચી ગયું છે, પાકિસ્તાનના મિત્ર દેશ સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમિરાત અને ચીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે શાહબાઝ શરીફની સરકારને ભીખ નહીં જ આપે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સરકારે હવે UAEને પાંચ મોટી સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.


આ 5 પાંચ  કંપનીઓમાં હિસ્સો વેચશે


શાહબાઝ શરીફની સરકારે પાકિસ્તાનની સરકારી ઓઈલ કંપની અને ગેસ કંપની, પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ, નેશનલ બેંક ઓફ પાકિસ્તાન, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન, પાકિસ્તાન નેશનલ શિપિંગ કોર્પોરેશનમાં ભાગદારી વેચશે. પાકિસ્તાન સરકાર હાલ  UAE સાથે આ કંપનીઓ વેચવા માટે ચર્ચા શરૂ કરી છે.  UAEની સરકારે હવે પાકિસ્તાનને કોઈ પણ ફ્રિ આર્થિક સહાય કરવાનો ઇન્કાર કરી દીધો છે. તે ઉપરાંત સોલાર પાવર, એરપોર્ટ ઓથોરિટીમાં રોકાણ કરાવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. આ અગ્રણી કંપનીઓમાં  UAE પહેલાથી જ 300 અબજ ડોલરનો રોકાણ પોર્ટફોલિયો ધરાવે છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના એરપોર્ટનું મેનેજમેન્ટ UAEની કંપનીને આપવા માગે છે.


IMFનો પણ લોન આપવાનો ઈન્કાર 


પાકિસ્તાનને IMFએ પણ લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે, IMFએ પાકિસ્તાન સરકારને વિવિધ સબસિડી બંધ અને પ્રજા પર વાધારનો ટેક્સ ઝિંકવાની સલાહ આપી છે.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.