પાકિસ્તાન પર 130 અબજ ડોલરનું દેવું, અમેરિકાની થિંક ટેન્કએ આપી આ ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-04-07 17:57:52

કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાનને લઈ અમેરિકાની પ્રખ્યાત થિંક ટેન્ક યુનાઈટેડ સ્ટેટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પીસએ મોટી ચેતવણી આપી છે. USIPએ કહ્યું છે કે પાકિસ્તાન હાલના સમયે ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેણે ચેતવણી આપી છે કે તેને એ વાતનો વાસ્તવિક ખતરો છે કે પાકિસ્તાન ડિફોલ્ટ થઈ શકે છે. થિંક ટેન્કએ કહ્યું કે દેશમાં મોંઘવારી ચરમ પર છે, અને રાજનીતિક સંકટ તથા આતંકવાદ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને 130 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે.


77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની બાકી


થિંક ટેકએ કહ્યું કે એપ્રિલ 2023થી જુન 2026 વચ્ચે પાકિસ્તાને 77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની છે. તેનાથી વિપરીત પાકિસ્તાનની કુલ અર્થવ્યવસ્થા 350 અબજ ડોલર જ છે. આ દરમિયાન પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક દારે તેમનો અમેરિકાનો પ્રવાસ   રદ્દ કરી દીધો છે. ઈશાક દાર તેમની અમેરિકાની યાત્રા દરમિયાન વિશ્વ બેંક અને આઈએમએફની બેઠકોમાં ભાગ લેવા તથા 1.1 અબજ ડોલરના રાહત પેકેજના સંબંધમાં અધિકારીઓ સાથે ચર્ચા કરવાના હતા. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.