Pakistan - બિલાડીઓની કરાશે ભરતી! ઉંદરડાના ત્રાસથી છુટકારો મળે તે માટે ફાળવ્યા આટલા રૂપિયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-08-21 16:47:44

ઉંદરડાનો ત્રાસ ઘરમાં હોય તે સામાન્ય બાબત છે પરંતુ તેનો ત્રાસ સંસદમાં હોય તો! આ ત્રાસથી છૂટવા માટે સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે તો! ત્રાસથી મુક્તિ મેળવવા સંસદમાં બિલાડીઓની ભરતી કરવામાં આવે તો? આ વાંચીને તમને નવાઈ લાગી હશેને, કે આવું તો ના હોય.. પરંતુ આ વાત સાચી છે.. પાકિસ્તાનથી આવી ઘટના સામે આવી છે... પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની કૈપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઉંદરડા પકડવા માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. 



ઉંદરડાથી મુક્તિ મેળવવા માટે ફાળવામાં આવ્યું સ્પેશિયલ બજેટ!

પાકિસ્તાન સામે અનેક પડકારો છે.. આર્થિક રીતે તે ખરાબ પરિસ્થિતિમાં હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પરંતુ પાકિસ્તાનથી એવા સમાચાર સામે આવ્યા જે સાંભળી નવાઈ લાગે તેવા છે.. પાકિસ્તાની સંસદમાં ઉંદરડાના ત્રાસથી મુક્તિ મેળવવા સરકારે શિકારી બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.. ત્યાંના સ્થાનિક રિપોર્ટ અનુસાર આના માટે સ્પેશિયલ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.. સંસદમાં રહેલી ફાઈલોને ઉંદરડાને કારણે મોટા પાયે નુકસાન થતું હતું. અનેક ફાઈલોને કોતરી નાખી છે.. ગોપનીય ફાઈલોને પણ ઉંદરડાને કારણે નુકસાન પહોંચ્યું છે. ઉંદરડાનો ત્રાસ પાકિસ્તાનની સંસદમાં સતત વધી રહ્યો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો તેવી વાત ત્યાંના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે. 



જ્યારે ફાઈલ મંગાવવામાં આવી તો ખબર પડી કે! 

મીડિયાના રિપોર્ટ અનુસાર જ્યારે કમિટીએ 2008નો રિપોર્ટ મંગાવ્યો, રિપોર્ટ કમિટી સામે પ્રસ્તુત પણ કરવામાં આવ્યો.. પરંતુ તે ફાઈલમાં રહેલા પેપરને ઉંદરડા ખાઈ ગયા હતા. ફાઈલમાં સબૂતો હતા જ નહીં.. ઉંદરડાનો ત્રાસ એટલા બધો વધી ગયો કે વર્ષ માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અંદાજીત 3 લાખ 63 હજાર ભારતીય રૂપિયા થઈ શકે છે. આ બજેટ એટલા માટે ફાળવવામાં આવ્યું કે ફાઈલોને ઉંદરડાથી બચાવવામાં આવે... એવી માહિતી પણ સામે આવી છે કે ઉંદરડા રાતના સમયે નુકસાન કરે છે.


ઉંદરડાથી મુક્તિ મેળવવા કરાયો આ પ્રયત્ન!

મીડિયા રિપોર્ટ અનુસાર ઉંદરડાથી મુક્તિ મળે તે માટે કંપનીઓને બોલાવવામાં આવી છે. રોજે કામ કરતા લોકો તો ઉંદરડાથી ડરતા નથી પરંતુ જો કોઈ બીજું વ્યક્તિ જોઈ જાય તો તે ડરી જાય...!  જાહેરાતો બહાર પાડવામાં આવી છે.  ત્યારે આને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે