પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-30 15:32:43

આજકાલ પાકિસ્તાનના ખરાબ દિવસો ચાલી રહ્યા છે, પાકિસ્તાન આર્થિક નાદારીના આરે આવીને ઉભું છે ત્યારે દેશમાંથી દરરોજ ખરાબ સમાચારો આવી રહ્યા છે. સોમવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા રાજ્યની રાજધાની પેશાવરના પોલીસ લાઈન વિસ્તારમાં જોરદાર બોંબ બ્લાસ્ટ થયો છે. આ વિસ્તારની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. મસ્જિદની અંદર ઘુસી આવેલા એક આતંકવાદીએ વિષ્ફોટ કરીને તેની જાતને ઉડાવી દીધી હતી, વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ થયા છે.


90થી વધુ લોકો ઘાયલ


પેશાવરની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં લગભગ વિસ્ફોટમાં 20થી વધુના મોત અને 90 લોકો ઘાયલ થયા છે. આ વિષ્ફોટના કારણે મૃત્યુઆંક વધવવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મસ્જિદની અંદર ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરતા કેટલાક લોકો દટાયા હતા. આ વિષ્ફોટ બાદ સુરક્ષા દળો વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે