Pakistan Blasts: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પ્રચંડ વિસ્ફોટ, 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-02-07 17:35:58

પાડોશી દેશ પાકિસ્તાનમાં ગુરૂવારે સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે બોંબ વિસ્ફોટો પણ વધી રહ્યા છે. બલુચિસ્તાનના પિશિનમાં એક સ્વતંત્ર ઉમેદવારના પાર્ટી કાર્યાલયની બહાર થયો હતો જેમાં 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પિશિનના ખાનોઝાઈ વિસ્તારમાં સ્વતંત્ર ઉમેદવાર અસફંદયાર ખાન કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર થયો છે. કાકર 8 ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીમાં  NA-265 ચૂંટણી વિસ્તાર અને બલૂચિસ્તાન વિધાનસભા ચૂંટણી વિસ્તાર PB-47 અને PB-48થી ચૂંટણી લડી રહ્યા છે.    


પશીન જિલ્લામાં થયો વિસ્ફોટ


બલુચિસ્તાનની પ્રાંતીય સરકારના પ્રવક્તા જાન અચકઝઈએ કહ્યું પહેલો હુમલો બલૂચિસ્તાન પ્રાંત પશીન જિલ્લામાં થયો હતો. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે તેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.બાદમાં બલૂચિસ્તાનના જ કિલા સૈફુલ્લાહ શહેરમાં રાજનેતા ફઝલુર રહેમાનની જમીયત ઉલેમા ઈસ્લામ પાર્ટીના ચૂંટણી કાર્યાલય પર એક બોંબ વિસ્ફોટ થયો જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. 


કોઈ આતંકી સંગઠને નથી લીધી જવાબદારી


પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાના એક દિવસ પહેલા જ થયેલા આ વિસ્ફોટની કોઈએ જવાબદારી લીધી નથી. કાર્યવાહક સરકારના આંતરિક બાબતોના મંત્રી ગૌહર ઈજાજે બોંબ વિસ્ફોટોની નિંદા કરી છે. દેશમાં ખાસ કરીને બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. બલોચ રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્વતંત્રતા માટે વિદ્રોહ શરૂ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તાલિબાન અને અન્ય આતંકવાદી જુથોની પણ પ્રાંતમાં મજબુત હાજરી છે.   



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .