પાકિસ્તાનમાં ફરી અંધારપટ, વિજ પુરવઠો ખોરવાતા ટેક્સટાઈલ ઉદ્યોગને રૂ. 5.71 અબજનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-24 13:54:43

પાકિસ્તાનમાં સોમવારે એક જ દિવસમાં અંધારપટ છવાઈ ગયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત બન્યું જ્યારે નેશનલ ગ્રીડમાં ખામીનો શિકાર બની છે. રાજધાની ઈસ્લામાબાદથી લઈને કરાચી અને લાહોર સુધી વિજ સપ્લાય ખોરવાયો હતો. બિજળી બચાવવા માટે સરકારે દેશના તમામ માર્કેટને રાત્રે 8 વાગ્યાથી વીજ સપ્લાય બંધ કરવાના આદેશ આપ્યા હતા. આ બ્લેક આઉટના કારણે એક જ દિવસમાં 5.71 અબજ ડોલરનું નુકસાન થયું હતું. 


પાકિસ્તાનમાં ઉર્જા સંકટ શા માટે સર્જાયું?


પાકિસ્તાન હાલમાં ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં, દેશ આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગના ત્રીજા કરતાં વધુ ભાગને સંતોષે છે. યુક્રેન યુદ્ધ પછી તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પ્રોગ્રામ હેઠળ લોન મેળવવામાં તાજેતરના વિલંબને કારણે પાકિસ્તાન વિદેશમાંથી ઇંધણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાનની આયાતમાં ફ્યુઅલ શિપમેન્ટનો મોટો હિસ્સો છે અને વર્તમાન કરન્સી ભંડાર એક મહિનાના આયાત ભારણને જ ઉઠાવી શકવા સક્ષમ છે.


એક દિવસમાં રૂ. 5.71 અબજનું નુકસાન


ઓલ પાકિસ્તાન ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન (એપીટીએમએ) એ સોમવારે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને $70 મિલિયન (રૂ. 5.71 અબજ) નું નુકસાન નોંધાવ્યું હતું. APTMAના પ્રવક્તાએ કહ્યું હતું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો નુકસાન અબજો ડોલરમાં જશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.

"પીડિતાના ગુપ્તભાગોને પકડવા અને તેના પાયજામાંની દોરી છોડવાને બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહિ." :ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રા !

રંગમંચ એ મનોરંજનની સાથે સમાજ જીવનની સંવેદનાઓને નાટકના માધ્યમથી લોકમાનસ સુધી લઈ જાય છે.દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે.