પાકિસ્તાની સેનાનો વળતો હુમલો, ઈરાનમાં બલોચ સંગઠન BLA અને BLFના અડ્ડાઓ પર મિસાઈલો ઝીંકી


  • Published By :
  • Published Date : 2024-01-18 11:03:29

બલુચિસ્તાનમાં થયેલા ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ હવે પાકિસ્તાને પણ જવાબી હુમલો કરતા સ્થિતી વણસી છે. પાકિસ્તાની સેનાએ ઈરાનના ચાબહાર વિસ્તારમાં ગુરૂવારે સવારે હુમલા કર્યા છે. પાકિસ્તાને બલોચ લિબરેશન ફ્રંટ (BLF) અને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. અડધી રાત્રે પાકિસ્તાનના ફાઈટર જેટ પહોંચ્યા અને હુમલા કર્યા હતા. જો કે આ હુમલાથી જાનમાલના નુકસાન અંગે જાણકારી મળી શકી નથી. 


પાકિસ્તાને જવાબી હુમલાની આપી હતી ધમકી


મંગળવારે ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હતી.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વાતચીતની ઘણી ચેનલો હોવા છતાં આ પ્રકારનું કામ થયું છે. આ તે સમય છે જ્યારે પાકિસ્તાન અને ઈરાનની નેવી બંને દેશો વચ્ચેના નજીકના સુરક્ષા સહયોગને રેખાંકિત કરવા માટે સંયુક્ત કવાયત કરી રહ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રીને પણ કહ્યું હતું કે તેમને પણ જવાબ આપવાનો અધિકાર છે અને તેઓ જવાબ આપી શકે છે. જે બાદ આ હુમલાનો મામલો સામે આવ્યો છે.


ઈરાને કહ્યું- અમે ઈરાની જૂથને નિશાન બનાવ્યું


ઈરાનની સેનાએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. ઈરાની સેનાએ કહ્યું હતું કે મિસાઈલ અને ડ્રોન હુમલામાં બલૂચિસ્તાનના કોહ-એ-સબઝ વિસ્તારમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે ગઢોને નષ્ટ કરી દીધા છે. ઈરાની ફાઈટર જેટ્સે જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા બાદ ઈરાને કહ્યું હતું કે આ જૂથ ઈરાનનું છે અને તેણે પાકિસ્તાનને નિશાન બનાવ્યું નથી. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયાને કહ્યું કે ઈરાની મિસાઈલ અને ડ્રોનનું લક્ષ્ય ઈરાની આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ હતું.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?