Pakistan : સેનાના એરબેઝને આતંકીઓએ બનાવ્યું નિશાન, જવાબી કાર્યવાહીમાં આટલા આતંકીઓ થયા ઠાર


  • Published By :
  • Published Date : 2023-11-04 10:57:32

એક તરફ નેપાળમાં તીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે તો બીજી તરફ પાકિસ્તાનના સેના એરબેઝ પર શનિવાર સવારે આંતંકી હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ સીઢી લગાવી અને તારને કાપી એરબેઝની દિવાલને ઓળંગી હતી. આ ઘટનાને લઈ બે ફોટો સામે આવ્યા છે. ભીષણ ગોળીબારી થઈ, બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યું. બોમ્બ બ્લાસ્ટ કરી આગ લગાવી દીધી તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝ પર હુમલો થયો છે. પાકિસ્તાન સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ આતંકવાદી સંગઠને લીધી હુમલાની જવાબદારી!

પાકિસ્તાનથી અનેક વખત ફાયરિંગની, આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શનિવાર સવારે એરબેઝ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી છે. આતંકવાદીઓએ આ વખતે એરબેઝને પોતાનો ટાર્ગેટ બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 3 ફાઈટર પ્લેનને સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબદારી ટીજેપી દ્વારા લેવામાં આવી છે. પાકિસ્તાનમાં પંજાબના મિયાંવાલીમાં આવેલા સેનાના એરબેઝમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જવાબદારી, તહરીક-એ-જેહાદ દ્વારા લેવામાં આવી છે. ટીજેપીના પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી લીધી છે.  




ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?