પાકિસ્તાનમાં મોટા હુમલાની આશંકા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા બાદ હવે સાઉદી અરેબિયાએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2022-12-27 13:21:14

પાકિસ્તાન મોંઘવારી, બેરોજગારી, ભયાનક ગરીબી તથા રાજકીય અસ્થિરતા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. હવે લિશ્લના અન્ય દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરીને પાકિસ્તાનનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા પછી હવે સાઉદી અરેબિયાએ પણ તેના નાગરિકોને સ્પષ્ટ સુચના આપી છે.


શા માટે પાકિસ્તાનને લઈ હાઈ એલર્ટ?


પાકિસ્તાન સ્થિત અમેરિકાના દુતાવાસે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના મેરિયેટ હોટેલમાં અમેરિકાના નાગરિકો સામે આતંકી હુમલાની આશંકા વ્યક્ત  કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાનની ફાઈવ સ્ટાર હોટેલમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી છે. અમેરિકાએ તેના નાગરિકોને રજાઓ દરમિયાન ઈસ્લામાબાદમાં બિનજરૂરી યાત્રા ટાળવાની નાગરિકોને સલાહ આપી છે. તે ઉપરાંત બ્રિટને પણ તેના નાગરિકોને ખૈબર પખ્તુનખ્વાના બજુઆર, મોહંમદ ખૈબર, ઓરકઝઈ, કુર્રમ, ઉત્તરી વઝીરિસ્તાન, અને દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં નહીં જવાની સલાહ આપી છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.