PAK Election: પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદ, ઈમરાન-નવાઝ અને બિલાવલ પાસે શું વિકલ્પ છે? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-11 19:05:39

પાડોશી દેશ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે મતગણતરી પૂરી થઈ અને લાંબી રાહ જોયા બાદ આખરે ચૂંટણી પંચે પરિણામ જાહેર કરી દીધું. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. અપક્ષ ઉમેદવારોએ 100 થી વધુ બેઠકો જીતી છે, જેમાંથી મોટી સંખ્યામાં પીટીઆઈ એટલે કે પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દેશમાં કેવી રીતે સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે.


PTI સમર્થિત 101 ઉમેદવારો વિજેતા 


ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો વિશે વાત કરીએ તો પીટીઆઈ દ્વારા સમર્થિત વિજેતા ઉમેદવારોની સંખ્યા લગભગ 101 હોવાનું કહેવાય છે. આ સિવાય ત્રણ વખતના પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ બીજા સ્થાને છે, તેને 75 બેઠકો મળી છે. જ્યારે બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને માત્ર 54 સીટો મળી છે. તે ઉપરાંત કરાચીની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનને 17 બેઠકો મળી છે.


ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ 


પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં અપક્ષો સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તમામ અપક્ષ વિજેતા ઉમેદવારોને એક કરીને પોતાની તરફેણમાં જીત મેળવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. બહુમતીનો આંકડો મેળવવા માટે 133 બેઠકો જરૂરી છે. અપક્ષ ઉમેદવારોની કુલ સંખ્યા પણ 101 છે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન માટે પડકાર એ છે કે તેઓ અન્ય 32 ઉમેદવારો ક્યાંથી લાવશે, શું તેઓ બિલાવલ ભુટ્ટો પાસેથી સમર્થન લેશે કે પછી નવાઝ શરીફ તરફ વળશે. આ સિવાય તેમની સામે મોટો પડકાર એ છે કે તેઓ તેમના સમર્થક વિજેતા સાંસદોની સુરક્ષા કરે, નહીં તો તેમનું હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે.  


શું ઈમરાન ખાનને પીએમ નહીં બનવા દે?


પૂર્વ પીએમ નવાઝ શરીફ પાકિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે, નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે સરકાર બનાવવાને લઈને વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. જો આ બંને પક્ષો સાથે આવે તો પણ બહુમતીના આંકડા કરતાં 6 બેઠકો ઓછી હશે. આવી સ્થિતિમાં તેમને પણ અપક્ષ ઉમેદવારોની જરૂર પડશે. આવી સ્થિતિમાં, બંને પક્ષો અપક્ષ ઉમેદવારોને પોતાની સાથે લાવવાનું વિચારી રહ્યા છે કારણ કે બંને નેતાઓ કોઈ પણ ભોગે ઈમરાન ખાનને ફરીથી પીએમ બનવા દેવા માંગતા નથી.



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .