અમેરિકામાં 27 અજગર પકડનારા બે મદારીઓને મળ્યો પદ્મશ્રી, કોણ છે સદાઈયાન અને વૈદિવેલ?


  • Published By :
  • Published Date : 2023-01-26 17:29:32

તમિલનાડુમાં સાપ પકડનારા બે મિત્રોને પદ્મશ્રી મળ્યો છે. તમિલનાડુમાં ઈરૂલા જનજાતિના બે મદારીઓ માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને પદ્મશ્રીની જાહેરાત થઈ છે. પ્રજાસત્તાક દિનના પ્રસંગે દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બંને પરંપરાગત રીતે સાપ, નાગ અને અજગર સહિતના ખતરનાક જીવોને પકડવામાં મહારત ધરાવે છે. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ પણ મેળવ્યું નથી. રસપ્રદ  વાત એ છે કે જ્યારે તેઓ સાપ પકડવામાં વ્યસ્ત હતા ત્યારે જ ફોનની રિંગ વાગી અને જાણવા મળ્યું કે તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેમણે સાંભળ્યું એક મિનિટ વાત કરી અને ફરી પાછા તેમના કામમાં લાગી ગયા. 

 

અજગરને દેશી ટેકનીકથી પકડે છે


માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને આ વારસો તેમના પૂર્વજો પાસેથી મળ્યો છે. તેઓ સાપને પકડવા માટે જૂની અને દેશી તકનીકોનો ઉપયોગ કરે છે.

 

ઇરુલાના આદિવાસીઓ સાપ પકડવા માટે પ્રખ્યાત 


ઈરુલા લોકો તમિલનાડુમાં દેનાકાનીકોટ્ટાઈ નજીક જંગલવાળા વિસ્તારોમાં રહે છે પરંતુ તેઓ કન્નડ ભાષા પણ સારી રીતે બોલી જાણે છે. તેઓ ઉંદરો અને સાપ પકડવામાં નિષ્ણાત છે.


2017માં 27 અજગર પકડ્યા હતા


2017માં અજગરથી પરેશાન અમેરિકાએ બંનેને અમેરિકન જંગલોમાં હાજર બર્મન મૂળના અજગરને પકડવા માટે બોલાવ્યા હતા. અમેરિકામાં માસી અને વૈદિવેલ સાથે મળીને ત્યારે 27 અજગર પકડ્યા હતા. આમાંથી ઘણી દુર્લભ પ્રજાતિઓ હતી. વૈદિવેલ અને માસીએ માત્ર 8 દિવસમાં 13 અજગર પકડ્યા. બંનેએ 16 ફૂટ લાંબી માદા અજગરને પકડીને ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનના અધિકારીઓને ચોંકાવી દીધા હતા.અમેરિકાએ પણ તેમને 44 લાખ રૂપિયા આપ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.