PAASના કન્વીનર દિનેશ બાંભણિયા મારામારીના કેસમાં નિર્દોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:59:24

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સભ્ય દિનેશ બાંભણિયાને કોર્ટે એક મારા મારીના કેસમાં મોટી રાહત આપી છે. 2014 -15ના મારામારીના કેસમાં પાસ નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા કર્યા છે. દિનેશ બાંભણિયા વિરુદ્ધ કમળાપુર મંડળીમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. 


દિનેશ બાંભણિયા સામે આરોપ શું હતો?


પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સામે પોતાના જ ગામ કમળાપુર મંડળીમાં 2015માં મારામારી કરી હોવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મારામારીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો જો કે કોર્ટે આજે દિનેશ બાંભણિયાને નિર્દોષ ઠેરવ્યા છે.


દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે PAASના કન્વીનર દિનેશ બાંભણિયા થોડા  દિવસ અગાઉ ટ્વિટ કરી પોતે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય માહોલ વચ્ચે પાટીદાર અગ્રણીયો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો કરાયા તેને લઈને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી PAASના પ્રાથમિક 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. જેની સંખ્યામાં આગામી સમયમાં વધારો પણ થઇ શકે છે તેમ જણાવાયું હતું. 



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.