મોદી દેશમાં પ્રમુખ આધારિત શાસન વ્યવસ્થા લાવવા માંગે: પી ચિદમ્બરમ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:08:42

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતવિસ્તાર આધારિત સંસદીય લોકશાહીના આધારને જ નબળો પાડી રહ્યા છે. તેમણે કહ્યું. કે "RSS દેશમાં પ્રમુખ શાહી આધારિત શાસન લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમાં બહુમતીવાદ તેના મુળીયા જમાવી દે છે." 


મોદીએ હિમાચલમાં ઉમેદવારને ભૂલીને કમળને મત આપવાની કરી અપીલ


ચિદમ્બરમની આ ટિપ્પણી હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલન રેલી પછી આવી છે. જેમાં મોદીએ કહ્યું હતું કે તેઓ કમળના ફૂલને સમર્થન આપે, તેમનો મત મારા માટે આશીર્વાદ બની રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકોને પરવા કરવાની જરૂર નથી કે ઉમેદવાર કોણ છે? તમારે ફક્ત કમળ યાદ રાખવાનું છે. હું તમારી પાસે કમળ લઈને આવ્યો છું. જ્યારે તમે વોટ કરવા જાઓ અને કમળ જુઓ ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ભાજપ અને મોદી તમારી પાસે આવી ગયા છે. કમલ માટે તમારો દરેક વોટ મોદી માટે આશીર્વાદ બની રહેશે.


સંસદીય ચર્ચાઓ અને મીડિયાથી દુર રહે છે મોદી 


ચિદમ્બરમે કહ્યું કે, વડાપ્રધાન મતદારોને કહી રહ્યા છે કે તેમને મતવિસ્તારના ઉમેદવારનું નામ યાદ રાખવાની જરૂર નથી. કમલને જ વોટ આપો, મોદીને વોટ આપો. ચિદમ્બરમે કહ્યું કે, સંસદીય ચર્ચાઓ અને મીડિયા પ્રેસ કોન્ફરન્સથી દૂર રહીને પીએમ મોદી દેશમાં રાષ્ટ્રપતિ આધારિત સત્તા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.