ઓવૈસી તોડશે મુસ્લિમ વોટ ? વડગામ બેઠક પર મેવાણી સામે ઉતાર્યો ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2022-11-16 17:53:26

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુ ત્રણ ઉમેદવારની જાહેરાત કરી છે. AIMIMએ કલ્પેશ સુંઢિયાને વડગામ, અબ્બાસ નોડસોલા સિદ્ધપુર અને જૈનબીબી શેખને અમદાવાદની વેજલપુર બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા છે. 

દલિત નેતા જીગ્નેશ મેવાણી ફરી એકવાર વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. 2017માં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી હવે કોંગ્રેસના ઉમેદવાર છે. તો તેમને ઘેરવા માટે તેમની સામે ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. AAP તરફથી દલપત ભાટિયા મેદાનમાં છે, AIMIMએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાને AIMIMએ ઉમેદવાર બનાવ્યા છે 


AIMIMનો બીજો હિન્દૂ ઉમેદવાર

AIMIMએ અત્યાર સુધી 182 બેઠકમાંથી 14 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાના નામની જાહેરાત કરી છે. કલ્પેશ સુંઢિયા બીજા હિન્દૂ ઉમેદવાર છે જેમણે ઓવૈસીની પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા દાણીલિમડાની અનામત સીટ પર કૌશિકા પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.


દલિત મુસ્લિમ મતને સાધવાનો પ્રયાસ 

વડગામ બેઠક પર કોંગ્રેસને મજબૂત માનવામાં આવે છે. અહીં 2.94 લાખ મતદારો છે. જેમાં સૌથી વધુ મુસ્લિમ અને દલિત મતદારો છે, ત્યારબાદ ચૌધરી, ઠાકોર અને ક્ષત્રિયની ભાગીદારી છે. 1995 પછી કોંગ્રેસ ચાર વખત આ બેઠક જીતી છે. અસદુદ્દીન ઓવૈસી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમ અને દલિત વોટને મેળવવાના પ્રયાસમાં લાગેલા છે. 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 26 બેઠકો પર AIMIMને જીત મળી હતી. મે 2022થી સતત ઓવૈસી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!