ઓવૈસી તોડશે મુસ્લિમ વોટ ? વડગામ બેઠક પર મેવાણી સામે ઉતાર્યો ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2022-11-16 17:53:26

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુ ત્રણ ઉમેદવારની જાહેરાત કરી છે. AIMIMએ કલ્પેશ સુંઢિયાને વડગામ, અબ્બાસ નોડસોલા સિદ્ધપુર અને જૈનબીબી શેખને અમદાવાદની વેજલપુર બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા છે. 

દલિત નેતા જીગ્નેશ મેવાણી ફરી એકવાર વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. 2017માં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી હવે કોંગ્રેસના ઉમેદવાર છે. તો તેમને ઘેરવા માટે તેમની સામે ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. AAP તરફથી દલપત ભાટિયા મેદાનમાં છે, AIMIMએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાને AIMIMએ ઉમેદવાર બનાવ્યા છે 


AIMIMનો બીજો હિન્દૂ ઉમેદવાર

AIMIMએ અત્યાર સુધી 182 બેઠકમાંથી 14 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાના નામની જાહેરાત કરી છે. કલ્પેશ સુંઢિયા બીજા હિન્દૂ ઉમેદવાર છે જેમણે ઓવૈસીની પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા દાણીલિમડાની અનામત સીટ પર કૌશિકા પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.


દલિત મુસ્લિમ મતને સાધવાનો પ્રયાસ 

વડગામ બેઠક પર કોંગ્રેસને મજબૂત માનવામાં આવે છે. અહીં 2.94 લાખ મતદારો છે. જેમાં સૌથી વધુ મુસ્લિમ અને દલિત મતદારો છે, ત્યારબાદ ચૌધરી, ઠાકોર અને ક્ષત્રિયની ભાગીદારી છે. 1995 પછી કોંગ્રેસ ચાર વખત આ બેઠક જીતી છે. અસદુદ્દીન ઓવૈસી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમ અને દલિત વોટને મેળવવાના પ્રયાસમાં લાગેલા છે. 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 26 બેઠકો પર AIMIMને જીત મળી હતી. મે 2022થી સતત ઓવૈસી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.