ગુજરાતમાં AIMIMનો પ્રચાર કરવા આવેલા ઓવૈસીને થયો કડવો અનુભવ


  • Published By :
  • Published Date : 2022-12-03 12:15:02

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પ્રચાર કરવાનો આજે અંતિમ દિવસ છે. સાંજે ચૂંટણી પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી મેદાનમાં જંગ જામવાનો છે. ત્યારે AIMIMના ઓવૈસી પણ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પરંતુ જ્યારે અમદાવાદમાં તેઓ પ્રચાર કરવા આવ્યા હતા ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીને જોતા સ્થાનિકોએ લગાવ્યા ગો બેકના નારા. 


કાળો વાવટા બતાવી કર્યો વિરોધ 

ગુજરાતમાં AIMIMએ અનેક બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો પ્રચાર કરવા ઓવૈસી અમદાવાદ આવ્યા હતા. પરંતુ અમદાવાદમાં તેમનો વિરોધ થયો હતો. રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોએ ગો બેકના નારા લગાયા હતા અને રોડ શો દરમિયાન કાળો ઝંડો બતાવી વિરોધ નોંધાવ્યો હતો.

Gujarat Election Asaduddin Owaisi Show Black Flags During Road Show in Ahmedabad गुजरात में ओवैसी को दिखाए गए काले झंडे, अहमदाबाद के रोड शो में लगे Go Back के नारे

સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ

જમાલપુર ખાતે પોતાના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર કરવા આવેલા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મોદી કોંગ્રેસના પપ્પા છે. ગુજરાત ચૂંટણીની નજર જમાલપુર બેઠક પર છે. અહીં લડાઈ ભાજપ અને એઆઈએમઆઈ વચ્ચે છે. ચૂંટણી ઓવૈસી અને નરેન્દ્ર મોદી વચ્ચે છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.