વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઓવૈસી પર કરાયો પથ્થરમારો, ટ્રેનના કાચને પહોંચ્યું નુકસાન


  • Published By :
  • Published Date : 2022-11-08 08:48:25

ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે જેને કારણે અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. AIMIMના ઓવૈસીએ પણ ગુજરાતમાં આવી પ્રચાર કરવાની શરૂઆત કરી છે. ત્યારે તેમના પ્રવાસ દરમિયાન તેમની પર પથ્થરમારો થયો હોવાની વાત પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ જ્યારે તેઓ વંદે ભારત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થયો હોવાને કારણે ટ્રેનનો કાચ પણ તૂટી ગયો હતો. 

Owaisi: गुजरात में वंदे भारत एक्सप्रेस पर पथराव, असदुद्दीन ओवैसी थे निशाने  पर! ट्रेन की खिड़की के शीशे टूटे - Stone pelting on Vande Bharat Express in  Gujarat Asaduddin ...

વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરાયો પથ્થરમારો

ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. ત્યારે પ્રચાર માટે અમદાવાદથી સુરત જઈ રહેલા AIMIMના ઓવૈસી પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવું પાર્ટીના નેતાનું કહેવું છે. સુરતના લિંબાયત ખાતે તેઓ જનસભા સંબોધવાના હતા. 

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સુરતના લિંબાયતમાં સભાને સંબોધન કરશએ - Divya Bhaskar

ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર

સભાસ્થળ પર પહોંચવા જ્યારે પાર્ટીની ટીમ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન કોઈકે તેમની પર હુમલો કર્યો હતો. પરંતુ કોણે તેમની પર હુમલો કર્યો તે જાણી શકાયું નથી. પથ્થર વાગવાને કારણે ટ્રેનની બારીનો કાચ પણ તૂટી ગયો હતો. સદનસીબે કોઈ પણ હાની વગર તેઓ સભાસ્થળે પહોંચી ગયા હતા. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન ભાજપ દ્વારા શરૂ કરાયેલ કેમ્પેઈન પર પણ તેમણે કટાક્ષ કર્યા હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.