રાહુલ ગાંંધીના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે


  • Published By :
  • Published Date : 2023-01-13 16:54:15

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર તે ચર્ચામાં આવતી હોય છે. રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં સરકાર વિરૂદ્ધ તેમણે આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાતને લઈ AIMIMના વડાએ રાહુલ પર પ્રહાર કર્યા છે. ઓવૈસીએ કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રામાં ફરી રહ્યા છે તે જીન છે. 

જો નિર્ણય સાચો હોય તો BJP દ્વારા નોટબંધી દિવસ ઉજવવો જોઇએ: ઓવૈસી


રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા છે પ્રહાર  

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. જ્યારથી રાહુલ ગાંધીએ આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ ચર્ચામાં રહે છે. યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર તેમજ ભાજપ આકરા પ્રહારો કર્યા છે..

Open to dissent to an extent, not fascist party: Rahul Gandhi in Rajasthan  | Latest News India - Hindustan Times


પોતાને મારી નાખ્યો વાળા નિવેદન પર ઓવૈસીનો સવાલ  

યાત્રામાં અનેક વખત તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાત પર AIMIMના વડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રા કરી રહ્યા છે તે જીન છે?

 

ટી-શર્ટ અંગે પણ કરી ટિપ્પણી 

ઉપરાંત રાહુલ ગાંધીની ટી-શર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ટી-શર્ટ મુદ્દે પર પણ તેમણે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 50 વર્ષના થઈ ગયા છે. અને કહી રહ્યા છે કે ઠંડી નથી લાગતી, જ્યારે રાજધાની દિલ્હી સહીત ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. 


જાન્યુઆરીમાં થશે યાત્રાનું સમાપન 

7 સપ્ટેમ્બર 2022થી કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને આ યાત્રાની સમાપ્તિ 30 જાન્યુઆરીએ થવાની છે. શ્રીનગરમાં આ યાત્રાનું સમાપન થવાનું છે. આ પદયાત્રા તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ઉત્તરપ્રદેશમાંથી પસાર થઈ છે.      

 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.