ઓવૈસીએ AAPને ગણાવ્યું RSSનું 'છોટા રિચાર્જ', સુંદરકાંડના પાઠ કરવાના નિર્ણયને વખોડ્યો, આપ પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2024-01-16 14:55:32

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આમ આદમી પાર્ટીને RSSનું છોટા રિચાર્જ ગણાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે સુંદર કાંડના પાઠ કરવાની આપની જાહેરાતને લઈ પાર્ટીની જોરદાર ટીકા કરી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાન સભા સીટોમાં સુંદરકાંડનો પાઠ આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને લીધો છે. 


2,600 સ્થાનો પર સુંદરકાંડના પાઠ


AAPના નેતા સૌરભ ભારદ્વાજે સોમવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટોમાં સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ આયોજીત કરશે. આગામી સપ્તાહથી દરેક મંગળવારે શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રો અને નગર નિગમ બોર્ડ સહિત 2,600 સ્થાનો પર સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. આ જ કારણે આમ આદમી પાર્ટીમાં જ એક સંગઠન બનાવવામાં આવ્યું છે. 


પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ કરાઈ જાહેરાત


આપે આ ઘોષણા 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઔપચારિક નિમંત્રણ પણ નથી મળ્યું. જો કે મુખ્યમંત્રીને કેટલાક દિવસ પહેલા એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને એક ઔપચારિક નિમંત્રણ મોકલવામાં આવશે અને તે દિવસે તે કોઈ અન્ય કાર્યક્રમ આયોજીત કરે નહીં. 


AAPના નિર્ણયથી નારાજ ઓવૈસી


સુંદરકાંડનું આયોજન કરવાના AAPના તાજેતરના નિર્ણય બાદ ઓવૈસી નારાજ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિર્ણય અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે RSSના નાના રિચાર્જે નક્કી કર્યું છે કે દર મહિનાના પહેલા મંગળવારે દિલ્હીના દરેક વિધાનસભા ક્ષેત્રમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


બિલ્કીસ બાનોનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ યાદ અપાવ્યું કે આ એ જ લોકો છે જેમણે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું હતું. એવું કહ્યું હતું કે તેઓ માત્ર શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર વાત કરવા માંગે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.