બાંગ્લાદેશમાં જહાજ ડૂબતા 20થી વધુના મોત, 30 ગાયબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 21:02:06

બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓને લઈ જતું જહાજ ડૂબવાના સમાચાર મળી રહ્યા છે. બાંગ્લાદેશના પંમઢીના કોરોટોઆ નદીમાં જહાજ ડૂબ્યું હતું જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં જહાજમાં સવાર 30 લોકો ગાયબ થઈ ગયા છે. 


શ્રદ્ધાળુઓ મંદિર જઈ રહ્યા હતા 

દુર્ગા પૂજાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે દોઢ વાગ્યા નજીક શ્રદ્ધાળુઓ દુર્ગા પૂજા અને મહાલયા ઉત્સવ મનાવવા માટે લગભગ 100 જેટલા લોકો જહાજમાં બેસીને બિદેશરી મંદિર જઈ રહ્યા હતા. વજન વધી જતાં અચાનક જહાજ ડૂબી ગયું હતું જેના કારણે 24 લોકોના મોત થયા છે અને 30 લોકો ગાયબ થયા છે. બચાવ ટીમે 50થી વધુ લોકોને બચાવી લીધા છે અને અનેક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પંચમઢી જિલ્લાના બોડા ખાતેની હોસ્પિટલમાં લોકોની સારવાર ચાલી રહી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.