ગુજરાતમાં જીતેલા 182 ધારાસભ્યોમાંથી 40 ધરાવે છે ગુનાહિત ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 18:54:21

ગુજરાત વિધાનસભાના પરિણામો આઠમી ડિસેમ્બરના રોજ આવ્યા હતા. જેમાં ભાજપના ફાળે 156 સીટો આવી છે. કોંગ્રેસના ભાગમાં માત્ર 17 સીટો આવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે ADRનો રિપોર્ટ આવ્યો છે. ADR એટલે Association For Democratic Reformએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં 182માંથી 40 MLA પર ક્રિમીનલ કેસ ચાલી રહ્યા છે.

Association for Democratic Reforms | Improving and Strengthening Democracy  in India


182માંથી 40 ધારાસભ્યો સામે નોંધાયો છે ગુન્હો

ચૂંટણી પૂર્વે ઉમેદવારોને એફિડેવિટ સબ્મિટ કરાવી પડે. જેની અંદર ઉમેદવારે પોતાની સંપૂર્ણ જાણકારી આપવી પડે. આ એફિટેવિટ પ્રમાણે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે જેમાં ગુનાહિત એમએલએની વિગતો આપવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર 182માંથી 40 MLA ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ 40માંથી 29 MLA પર ગંભીર ગુન્હાઓ બોલે છે. આ 29 MLAમાં ભાજપના 20 MLAનો સમાવેશ થાય છે, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 2, અપક્ષના 2 અને એક સમાજવાદી પાર્ટીના MLA કાંધલ જાડેજાનો સમાવેશ થાય છે.


2017 કરતા 2022માં ઓછા છે ગુન્હાહિત MLA

2022માં 2017 કરતાં ઓછા ધારાસભ્યો છે જેમની સામે ગુન્હો નોંધાયો હોય. 2017માં 47 ધારાસભ્યો સામે કેસ ચાલતા હતા. કોંગ્રેસના ધારાસભ્યની વાત કરીએ તો વાંસદના ધારાસભ્ય અનંત પટેલે, પાટણના કિરીટ પટેલ તેમજ ઉના ભાજપના ધારાસભ્ય કલુભાઈ રાઠોડ ગંભીર ગુન્હો ધરાવે છે. ઉપરાંત કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, જેઠા ભરવાડ, જનક તાલવિયા તેમજ ચૈતર વસાવા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.