Gujaratમાં 5 વર્ષથી સતત બનતી દુર્ઘટનાઓમાં આપણાં બાળકોનો ભોગ લેવાયો, શું સરકાર સમજી શકશે એ માતાની પીડા જેણે પોતાનું સંતાન ગુમાવ્યું છે?


  • Published By :
  • Published Date : 2024-05-26 08:37:31

કહેવાય છે કે બાળકો ઈશ્વરને પ્યારા હોય છે... બાળકોને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે..  જ્યારે ફૂલ જેવા માસુમ બાળકો મોતને ભેટે છે ત્યારે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ છીએ કે હે ઈશ્વર તું બાળકને પોતાના ચરણોમાં રાખશે.. તેની સંભાળ  રાખજે.. પરંતુ જ્યારે માનવસર્જીત દુર્ઘટનામાં માસુમ અને નિર્દોષ બાળક મુત્યુ પામે છે ત્યારે શું ઈશ્વરને પણ એ ગમતું હશે? શું ઈશ્વરને ગુસ્સો નહીં આવતો હોય? કદાચ આવતો હશે..! માનવસર્જીત લાપરવાહીને ઘણી વખત કુદરતી આફત ગણાવી દેવામાં આવે છે ત્યારે.!  

કોઈની લાપરવાહીને કારણે જાય છે માસુમોના જીવ

ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં એટલી બધી દુર્ઘટના સર્જાઈ છે જેમાં બાળકો કાળનો કોળિયો બન્યા છે.. માત્ર બાળકોના નામ બદલાય છે, જગ્યા બદલાય છે પરંતુ નથી બદલાતી તો તે છે માતા પિતાની પીડા.. જે લોકો માતા પિતા હશે તે સારી રીતે સમજી શકશે આવી દુર્ઘટના થાય ત્યારે શું વિતતી હોય છે.. આપણે એક દુર્ઘટનાના દુ:ખમાંથી બહાર નથી આવી શક્તા ત્યાં તો બીજી દુર્ઘટના આવી સર્જાઈ જતી હોય છે લાપરવાહીને કારણે... કોઈ વખત સેફ્ટીના સાધનો ના હોવાને કારણે તો કોઈ વખત તંત્રની લાપરવાહીને કારણે.. એ પછી સુરત તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના હોય..



હરણી બોટ કાંડ હોય કે પછી તક્ષશિલા અગ્નિકાંડ... 

સુરત તક્ષશિલા અગ્નિકાંડને સર્જાયે ભલે પાંચ વર્ષ થઈ ગયા હોય પરંતુ તે બાદ પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો.. દુર્ઘટના સર્જાઈ તે બાદ એક્શન લેવાયા માત્ર, પરંતુ થોડા દિવસ બાદ આ ઘટના ભૂલાઈ ગઈ આપણને.. ફાયર સેફ્ટીની વાતો ભૂલાઈ ગઈ, તપાસની વાતો ભૂલાઈ ગઈ.. અનેક બાળકોના જીવ તેમાં ગયા હતા... અગ્નિ કાંડને કારણે તો અનેક બાળકોના જીવ ગયા છે પરંતુ પાણીને કારણે પણ બાળકો મોતને ભેટ્યા છે. હરણી બોટ કાંડ આજે પણ યાદ આવે છે.. ક્ષમતા કરતા વધારે અને સેફ્ટી વગર બાળકોને બેસાડી દેવાયા હતા.. બોટ ઉંઘી થઈ ગઈ અને નાના બાળકોના મોત થઈ ગયા..


તહેવાર ફેરવાઈ ગયો હતો માતમમાં 

તે સિવાય મોરબીમાં બનેલી મોટી હોનારત કોણ ભૂલી શકે? તહેવારની મજા માતમમાં ફેરવાઈ ગઈ હતી.. ખુશી માટે નિકળેલા લોકો લાશ બનીને ઘરે આવ્યા. બ્રિજ તૂટી પડ્યો અને લોકો મોતને ભેટ્યા.. તે સિવાય કાંકરિયામાં બનેલી રાઈડ દુર્ઘટના હોય.. બાળકોના જીવની માણસોના જીવની જાણે  કદર જ નથી તેવું લાગે છે.. તે સિવાય પણ અનેક દુર્ઘટનાઓ એવી છે જેમાં માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે બીજાના પાપને કારણે...



ના અપેક્ષા છે ના આશા છે...     

બાળકને જ્યારે નાનું કંઈક વાગી જાય છે ત્યારે બાળક કરતા વધારે દુ:ખ તેના માતાને સૌથી વધારે થાય છે. રાજકોટમાં બાળક જ્યારે આગમાં બળતા હશે ત્યારે સૌથી વધારે તેણે પોતાની માતાને યાદ કરી હશે.. જ્યારે ઠેસ વાગે છે ત્યારે મોં માંથી માતાનું નામ ઉચ્ચારાય છે. ત્યારે તે બાળક પર શું વિતી હશે તેની કલ્પના જ્યારે કરીએ ત્યારે કંપારી છૂટી જાય છે. એ માતાની પીડા આપણને ક્યારે નહીં સમજાય જેણે આવી દુર્ઘટનામાં પોતાના સંતાનને ગુમાવ્યા છે. આજે પણ માતા પોતાના બાળકની રાહ જોશે કે તેનું બાળક આવશે અને તેને ભેટી પડશે.. પરંતુ અફસોસ મૃત્યુ પામેલા લોકો પાછા નથી આવતા.. 5 વર્ષથી આપણાં બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે.. હવે ના ગુસ્સો છે ના અપેક્ષા છે...



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.