OTT પર વધતી અશ્લીલતા અને ગાળાગાળી મુદ્દે સરકારનું આકરૂ વલણ, શું કહ્યું મંત્રી અનુરાગ ઠાકુરે? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:59:32

OTT પ્લેટફોર્મ પર આવતા કન્ટેન્ટમાં અશ્લીલતાની ફરિયાદો અંગે કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરેએ કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપશબ્દો સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જો નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં OTT કન્ટેન્ટને લગતા નિયમોમાં સુધારો કરી શકે છે. આમ હવે સ્ટ્રીમિંગ સર્વિસ આપતી  Netflix, Hotstar, Amazon Prime અને Zee Videoની મુશ્કેલી વધી શકે.


અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો મળી


કેન્દ્રીય માહિતી પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નાગપુરમાં જણાવ્યું હતું કે OTT પ્લેટફોર્મ પર વધતી અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો અંગે સરકાર ગંભીર છે. તેમણે કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપમાનજનક ભાષાને સાંખી લેવામાં આવશે નહીં. જો આ અંગેના નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. કારણ કે આ પ્લેટફોર્મને સર્જનાત્મકતા માટે સ્વતંત્રતા આપવામાં આવી હતી, અપશબ્દો અને અશ્લીલતા માટે નહીં.


નિયમોમાં ફેરફાર અંગે સરકાર નિર્ણય લેશે


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે સરકારના સ્તર પર આ વાત આવે છે, ત્યારે નિયમો અનુસાર વિભાગીય સમિતિની રચના કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, ફરિયાદો સતત વધવા લાગી છે અને વિભાગ તેને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે. જો અમારે આ અંગે નિયમોમાં ફેરફાર કરવો પડશે, તો પણ અમે ખૂબ ગંભીરતાથી વિચારીશું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!