શું રાજકીય વગ ધરાવતા OREVA ગ્રુપના MD અને બ્રિજનું સમારકામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશન દુધે ધોયેલા છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 15:00:31


"દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે"


મોરબી કરૂણાંતિકા બાદ સરકારની વ્હાલા દવલાની નીતિ જોતા પ્રખ્યાત કવિ કરશનદાસ માણેકની આ કાવ્યપંક્તિઓ યાદ આવે તે સ્વાભાવિક છે.


મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાની વાતો થઈ રહી છે. આ દુર્ઘટના માટે  જે દોષિત છે  તેમની ધરપકડ કરવામાં આવી છે પણ તે લોકો તો નાના માણસો છે, મોટા મગરમચ્છોને પોલીસ ક્યારે પકડશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની સહિત 9 લોકોની ધરપકડ  કરવામાં આવી છે. પોલીસની FIRમાં ક્યાંય પણ ઝુલતો બ્રિજ ખુલ્લો મૂકનાર OREVAના માલિક જયસુખ પટેલના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.


OREVA ગ્રુપ અને અધિકારીઓને સજા ક્યારે?


લોકોને આશ્ચર્ય તે બાબતનું છે કે  FIRમાં ઓરેવા ગ્રુપના માલિક, રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો.  તે ઉપરાંત આ બ્રિજનું મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના બ્રિજનું ઉદઘાટન કરવાની મંજુરી આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?


બ્રિજના ઉદઘાટન વખતે જયસુખ પટેલે મોટી મોટી ડંફાસ મારી હતી


ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે બેસતા વર્ષના દિવસે મોરબીના ઝુલતા પુલને ખુલ્લો મુક્યો ત્યારે મોટી-મોટી બડાઈઓ હાંકી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબીનો આ ઝુલતો પુલ એટલો મજબુત છે કે તેને આગામી 8 થી 10 વર્ષ સુધી સમારકામની જરૂર નહીં. જો કે થયું  તેનાથી ઉલટું આ મજબુત બ્રિજ માત્ર 5 દિવસમાં જ તુટી પડ્યો. બ્રિજ ધરાશાઈ થતા અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. આ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે આક્રોશ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.