PMને સાંભળવા લોકો તૈયાર નથી! શિક્ષકોને શું કામ ભીડનો હિસ્સો બનાવવા પડે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:42:57

આ દર વખતનું છે, પ્રધાનમંત્રી ગુજરાત આવવાના હોય એટલે સરકારી કર્મચારીઓએ પોતાના દરેક જરૂરી કામ પડતાં મુકીને

રેલીમાં ભીડનો હિસ્સો બનવા માટે તૈયાર થઈ જવાનું, છેલ્લા ત્રણ દિવસમાં આ જ થયું, પીએમ જ્યાં જાય ત્યાં ભીડ ભેગી કરવા

બસમાં કર્મચારીઓને ભરી-ભરીને મોકલી દેવાના, જરૂર પડે તો ભાજપનો ખેસ પહેરાવીને બેસાડી દેવાના હવે વારો જૂનાગઢનો

આવ્યો છે. 


જુનાગઢમાં શિક્ષકો હાજર થઈ જાવ, ફૂડ પેકેટ મળી જશે!

જુનાગઢમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરીપત્ર કર્યો છે કે માન.વડાપ્રધાનશ્રીનો જુનાગઢ જિલ્લામાં સંભવિત 19તારીખે

પ્રવાસ છે, તો કાર્યક્રમમાં હાજરી આપવા બસો ગોઠવી છે, એક બસમાં નજીકના બે સી.આર.સી અને સી.આર.સી દિઠ 25 શિક્ષકો 

લાવવાના રહેશે. છેલ્લે લખેલી નોંધનો સાર છે કે ચિંતા ના કરતા, ફૂડ પેકેટ આપીશું. સમયે જમી લેજો પણ આવવું તો પડશે.



પ્રધાનમંત્રી આવે એટલે બસમાં મુસાફરી કરતા લોકોનો મરો!

PM આવે એટલે બધી જ સરકારી વ્યવસ્થાઓ ત્યાં લાગી જાય છે, આસપાસના જિલ્લાની સરકારી બસો પણ ત્યાં મોકલાશે

રૂટ બંધ થઈ જશે, અનેક લોકો હેરાન થશે. અને પીએમના કાર્યક્રમમાં ભલે સરકારી ખર્ચ અને વ્યવસ્થાઓ હોય છે પણ

ભાષણો તો ચૂંટણીના જ હોય છે, મંચસ્થ નેતાઓમાં સી.આર.પાટીલ જેવા સંગઠનના નેતાઓ હોય છે તો કોઈ પ્રોટોકોલ 

એમ પણ નથી જળવાતા, તો સામાન્ય લોકોને આટલા હેરાન કરવાનો શું અર્થ!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે