PMને સાંભળવા લોકો તૈયાર નથી! શિક્ષકોને શું કામ ભીડનો હિસ્સો બનાવવા પડે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:42:57

આ દર વખતનું છે, પ્રધાનમંત્રી ગુજરાત આવવાના હોય એટલે સરકારી કર્મચારીઓએ પોતાના દરેક જરૂરી કામ પડતાં મુકીને

રેલીમાં ભીડનો હિસ્સો બનવા માટે તૈયાર થઈ જવાનું, છેલ્લા ત્રણ દિવસમાં આ જ થયું, પીએમ જ્યાં જાય ત્યાં ભીડ ભેગી કરવા

બસમાં કર્મચારીઓને ભરી-ભરીને મોકલી દેવાના, જરૂર પડે તો ભાજપનો ખેસ પહેરાવીને બેસાડી દેવાના હવે વારો જૂનાગઢનો

આવ્યો છે. 


જુનાગઢમાં શિક્ષકો હાજર થઈ જાવ, ફૂડ પેકેટ મળી જશે!

જુનાગઢમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરીપત્ર કર્યો છે કે માન.વડાપ્રધાનશ્રીનો જુનાગઢ જિલ્લામાં સંભવિત 19તારીખે

પ્રવાસ છે, તો કાર્યક્રમમાં હાજરી આપવા બસો ગોઠવી છે, એક બસમાં નજીકના બે સી.આર.સી અને સી.આર.સી દિઠ 25 શિક્ષકો 

લાવવાના રહેશે. છેલ્લે લખેલી નોંધનો સાર છે કે ચિંતા ના કરતા, ફૂડ પેકેટ આપીશું. સમયે જમી લેજો પણ આવવું તો પડશે.



પ્રધાનમંત્રી આવે એટલે બસમાં મુસાફરી કરતા લોકોનો મરો!

PM આવે એટલે બધી જ સરકારી વ્યવસ્થાઓ ત્યાં લાગી જાય છે, આસપાસના જિલ્લાની સરકારી બસો પણ ત્યાં મોકલાશે

રૂટ બંધ થઈ જશે, અનેક લોકો હેરાન થશે. અને પીએમના કાર્યક્રમમાં ભલે સરકારી ખર્ચ અને વ્યવસ્થાઓ હોય છે પણ

ભાષણો તો ચૂંટણીના જ હોય છે, મંચસ્થ નેતાઓમાં સી.આર.પાટીલ જેવા સંગઠનના નેતાઓ હોય છે તો કોઈ પ્રોટોકોલ 

એમ પણ નથી જળવાતા, તો સામાન્ય લોકોને આટલા હેરાન કરવાનો શું અર્થ!



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે