રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ દોષિતોને મુક્ત કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-11 14:45:25

રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને છોડી દેવાનો આદેશ કર્યો છે. આરોપી નીલિની, રવિચંદ્રન સહિતના 6 લોકોને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.  


ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીની કરાઈ હતી હત્યા

વર્ષ 1991ની 21 મેના દિવસે તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાજીવ ગાંધીની રેલીમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં રાજીવ ગાંધીનું નિધન થયું હતું. હુમલાખોર મહિલા આરોપીએ રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો અને ધમાકો થયો હતો. આ ધમાકામાં રાજીવ ગાંધી સહિત 6 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

હત્યારાને રાહુલ ગાંધીએ કર્યો હતો માફ

તમામ હત્યારાઓને મોતની સજા ફટકારવામાં આવી હતી ત્યાર બાદ 30 વર્ષ તેઓ જેલમાં હતા. જેમાં આજે 6 હત્યારાઓને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. અગાઉ પણ રાજીવ ગાંધીના હત્યારાઓને બચાવવાના ઘણા પ્રયાસો થયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ હત્યારાઓએ ચીઠ્ઠી લખીને જેલ મુક્ત થવા માટે આજીજી કરી હતી. પયાસ, જયકુમારન, પી. રવિચંદ્રન, મુરુગન, એસ નલિની, સંથન અને એજી પેરારિવલનને રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સજા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીના હત્યારાઓને પણ રાહુલ ગાંધીએ પણ માફ કરી દીધો હતો.


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.