Vadodara હરણી લેક દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ કરવા માટે અપાયો આદેશ, તપાસનો ધમધમાટ તો શરૂ થયો પરંતુ પરિણામ શું આવશે?


  • Published By :
  • Published Date : 2024-01-19 09:39:41

ગઈકાલે વડોદરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. બેદરકારીને કારણે અનેક માસુમોના જીવ ગયા છે. પિકનીક માટે ગયેલું બાળક પાછું જ ન આવે તો તે માતા-પિતાની પિડા શું હશે તે આપણે નહીં જાણી શકીએ. આપણને કદાચ આ વાત સામાન્ય લાગી શકે કે આવી ઘટનાઓ તો બનતી રહે છે, કરોડોની વસ્તીમાં કોઈ મરે તો આપણને વધારે દુખ નથી થતું. આપણી સંવદેનશીલતા મરી પરવારી છે. પરંતુ જે માતા પિતાએ  પોતાના વ્હાલ સોયાને ગુમાવ્યા છે તે જ આ પીડાની અનુભુતી કરી શકશે. બોટ પલટી જવાને કારણે 11 જેટલા માસુમો તેમજ શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Image


10 દિવસની અંદર તપાસ અંગેનો રિપોર્ટ આપવા કરાયો આદેશ! 

ઘટનાની જાણ થતાં જ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પીએમઓ ઓફિસ, સહિતના નેતાઓ દ્વારા આ ઘટના અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી તેમજ  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ગયા હતા. દર વખતની જેમ આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે. વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે. 10 દિવસની અંદર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Image


સહાય આપવાથી થોડી પાછા આવશે મૃતકો?  

આ ઘટના બાદ પીએમઓ દ્વારા મૃતકો તેમજ ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી હતી. 2 લાખ વળતરની જાહેરાત મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વડોદરા પહોંચ્યા હતા. હોસ્પિટલની મુલાકાત લીધી હતી, સંવેદના વ્યક્ત કરી, સહાય આપવાની જાહેરાત કરી પરંતુ શું સહાય આપવાથી, સંવેદના પાઠવાથી પરિવારને પોતાનું બાળક મળી જશે? 


જો આપણે ઈતિહાસમાંથી નહીં શીખીએ તો

તક્ષશિલા કાંડ હોય, કાંકરિયામાં તૂટી પડેલી રાઈડની દુર્ઘટના હોય કે પછી મોરબીમાં બનેલી કરૂણાંતિકા હોય તેમાં માત્ર આંકડાઓ બદલાયા છે પરંતુ તે બાદની પરિસ્થિતિ નથી સુધરી! માનવમાં રહેલી સંવેદનશીલતા પણ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. આપણે ઈતિહાસમાંથી નથી શીખતા તેને કારણે જ આવી દુર્ઘટનાઓ વર્તમાનમાં પણ જોવી પડે છે. મહત્વનું છે કે હવે પણ જો આપણે આવી દુર્ઘટનાઓમાંથી નહીં શીખીએ તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રહેશે!      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!