પાંચ રાજ્યો જુની પેન્શન સ્કિમ શરૂ કરવા મક્કમ, કેન્દ્ર સરકારને જાણકારી આપી


  • Published By :
  • Published Date : 2023-02-07 14:50:22

દેશભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન સિસ્ટમની માગ કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓએ સરકાર વિરોધી દેખાવો પણ કર્યા હતા. જો કે કેન્દ્ર સરકાર ટસની મસ થતી નથી, તેમ છતાં દેશના પાંચ રાજ્યોએ જુની પેન્શન સ્કિમ ફરી લાગુ કરવાની માગ કરી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.


5 રાજ્યોએ PFRDAને કરી જાણ


આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકારને પણ પોતાના નિર્ણયની જાણ કરી છે. નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકાર તથા પેન્શન નિયામક (PFRDA)ને પોતાના રાજ્યના કર્મચારીઓ માટે જુની પેન્શન સ્કિમ (OPS)ફરીથી શરૂ કરવા અંતે જણાવ્યું છે. કરાડે તે પણ જણાવ્યું કે PFRDA કાયદા મુજબ એવી કોઈ જોગવાઈ નથી, જે હેઠળ ગ્રાહકોની જમા રકમ એટલે કે NPSમાં સરકાર અને કર્મચારીઓનું યોગદાન, રાજ્ય સરકારને પાછી આપી શકાય છે.  



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.