વિપક્ષની એકતા બેઠક! આ રાજકીય પાર્ટીના નેતાઓ બેઠકમાં થશે સામેલ, પટના પહોંચ્યા અનેક દિગ્ગજ નેતાઓ,જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-23 09:05:17

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ પર અનેક વખત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ એક થાય તે માટે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બિહારની રાજધાની પટનામાં આયોજીત કરવામાં આવી છે અને આ બેઠકમાં સામેલ થવા અનેક રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અંદાજીત 17 રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે.  મહત્વનું છે આ બેઠક પહેલા અરવિંદ કેજરીવાલે શરત મૂકી છે. બેઠકને લઈ અનેક નેતાઓ પટના પહોંચી ગયા છે. 


અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ થશે બેઠકમાં સામેલ 

2024માં લોકસભાની ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તે માટે અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. બિહારના પટનામાં આજે વિપક્ષી દળોની બેઠક થવાની છે જેમાં 17 જેટલી પાર્ટીના નેતાઓ હાજર રહેશે અને આગામી લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે રણનીતિ ઘડી તેમજ ચર્ચામાં કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને થવા વાળીઆ બેઠકમાં જનતા દળ યુનાઈટેડના નિતીશ કુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી આ બેઠકમાં સામેલ થવા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આવશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તે સિવાય શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, પીડીપીના મહબૂબા મૂફ્તી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી આ બેઠકમાં હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે. મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ લાલુ પ્રસાદને પગે લાગી રહ્યા છે.  

અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા મૂકી શરત!

વિપક્ષી એકતાની બેઠક પહેલા વિરોધના સૂર પણ ઉઠ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા શરત મૂકી છે કે આ બેઠકમાં કેન્દ્રના વટહુકમ અંગે પણ ચર્ચામાં કરવામાં આવે. મુખ્યમંત્રીએ તમામ પક્ષોને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે દિલ્હીનો વટહુકમ એક પ્રયોગ છે, જો તે સફળ થશે તો કેન્દ્ર સરકાર બિન ભાજપ રાજ્યો માટે સમાન વટહુકમ લાવીને રાજ્ય સરકારોની સત્તા છીનવી લેશે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે આ મુદ્દે અનેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી તેમનું સમર્થન મેળવવાની કોશિશ કરી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ સામે લડવા માટે વિપક્ષો શું રણનીતિ બનાવે છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!