ઈરાનમાં હિજાબના નિયમોનો વિરોધ, સ્વતંત્ર ભારતમાં હિજાબ પહેરાવવા નિવેદનો અપાય છે


  • Published By :
  • Published Date : 2022-10-27 16:56:11

પોતાના હકો માટે લડવાનો બધાને અધિકાર હોવો જોઈએ.. પછી તે ભારત હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય... વિવિધ દેશના વિવિધ બંધારણ છે... જેમાં પોતાના દેશને ચલાવવા માટેના નિયમો લખવામાં આવ્યા છે.. ઈરાનના નિયમો સામે એક બાજુ મહિલાઓ માથા પરથી હિજાબ હટાવી વિરોધ કરી રહી છે.. આ હિજાબના વિવાદમાં 200થી વધુ લોકોના મોત પણ થયા છે અને બીજી બાજુ સ્વતંત્ર ભારતમાં મહિલાઓને હિજાબ પહેરાવવા માટે પ્રેરિત કરતો ઓવેસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... AIMIM પાર્ટીના અસદ્દુદિન ઓવૈસીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... તેઓ પત્રકાર પરિષદ સંબોધી કહી રહ્યા છે કે મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને તેવું મારી ઈચ્છા છે...... આવો ફરીથી સાંભલીએ તેમણે શું કહ્યું.. 


ઈરાનમાં વિરોધ અને ભારતમાં હિજાબવાળી મહિલાને પ્રધાનમંત્રી બનાવાની ઈચ્છા

એક બાજુ ઈરાનમાં હિજાબ મામલે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે ત્યારે ઔવેસી સાહેબ નિવેદન આપી રહ્યા છે કે  મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને... આ નિવેદન તેમણે એટલા માટે આપ્યું હતું કારણ કે સોશિયલ મીડિયામાં અલ્પસંખ્યક વ્યક્તિ પ્રધાનમંત્રી બને તેવી ચર્ચાઓ ચાલી રહી છે..... 


ઈરાનમાં હિજાબનો શું વિરોધ છે 

ઈરાનમાં મહસા અમીનીના મોત બાદ આ વિરોધ શરૂ થયો છે. 22 વર્ષની અમીનીને 1 સપ્ટેમ્બરે મોરેલિટી પોલીસે ધરપકડ કરી હતી કારણ કે તેમણે હિજાબના નિયમોને માન્યા નહોતા.. પોલીસે તેમના માર માર્યો હતો... અમીનીના માથામાં દંડો વાગતા તેનું મોત થયું હતું... આ ઘટનાએ લોકોને રોષથી ભરી દીદા હતા અને હિજાબ સામે પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા... ઈરાન પોલીસનું આ મામલે માનવું હતું કે અમીનીનું મોત હાર્ટ એટેકથી થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શનમાં 200થી વદુ લોકોના મોત થઈ ગયા છે..


પહેલા તો એ સમજી લઈએ કે હિજાબ શું છે અને આ હિજાબ આવ્યો ક્યાંથી 

હિજાબ અરબ શબ્દ છે જેનો અર્થ થાય છે અવરોધ, અથવા દિવાલ.. હિજાબ મુસ્લિમ મહિલાઓને સાર્વજનીક જગ્યાઓ પર ચહેરો ઢાંકવાનું એક વસ્ત્ર છે.. સાતમી સદીમાં ઈસ્લામમાં હિજાબ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું હતું. કુરાનમાં મુસ્લીમ મહિલાને સાધારણ કપડા પહેરવાની વાત કરવામાં આવી છે.. ધીમે ધીમે મહિલાઓ હિજાબ પહેરવા લાગી અને અનેક દેશોની અંદર ચહેરો ઢાંકવાની શરૂઆત થઈ અને ચહેરો ઢાંકવા માટે વિવિધ કપડાઓ બહાર આવવા લાગ્યા.. શરિયા અનુસાર તમામ રીતો માન્ય છે. ભારતમાં મુસ્લિમ મહિલા નકાબ, બુર્કા અને સ્કાફ પહેરે છે.







21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે