લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, અધ્યક્ષ પર લગાવ્યો આ ગંભીર આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:57:01

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ મોદી સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. દરમિયાન, સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે વિપક્ષી પાર્ટી સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે પણ વાત કરી રહી છે.


સ્પીકરનું ગૃહમાં પક્ષપાતી વલણ


કોંગ્રેસના ટોચના સૂત્રએ એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. આ સૂત્રએ જણાવ્યું હતું કે ગૃહમાં પક્ષપાતી વલણને કારણે સોમવારે બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરી રહી છે.


ગૃહમાં માઈક મ્યૂટ કરવાનો કોંગ્રેસનો આરોપ


કોંગ્રેસનો આરોપ છે કે વિપક્ષની માંગણીઓને દબાવવા માટે લોકસભામાં માઈક બંધ કરવામાં આવી રહ્યું છે. 17 માર્ચના રોજ, કોંગ્રેસે ટ્વિટર પર એક ક્લિપ શેર કરી હતી. આ ક્લિપમાં કથિત રીતે લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષના વિરોધ દરમિયાન મ્યૂટ કરાયેલ ઓડિયો બતાવવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.