મુખ્યમંત્રી કાર્યાલય પર બેસી કોંગ્રેસ ધારાસભ્યોનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:04:06

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના ધારાસભ્યોની માગણીઓ નથી સ્વિકારતા અને ધક્કા ખવડાવે છે તેના કારણે ધારાસભ્ય જશુભાઈ પટેલ, ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ અને માણસાના ધારાસભ્ય મુખ્યમંત્રી કચેરી પર ધરણા પર બેઠા છે. મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંહની કચેરી પર ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત બે ધારાસભ્યોએ નીચે જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. 


આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છેઃ જશુ પટેલ 

જમાવટ મીડિયાએ જ્યારે બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલ સાથે વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છે. મને મળવા માટે સમય આપે છે પણ હું આવું છું ત્યારે મને કહી દેય છે કે હવે પાછા જાવ સાહેબ પાસે સમય નથી. મારા વિધાનસભા ક્ષેત્રના રસ્તા વગેરેમાં કામગીરી કરવા માટે હું 2 વર્ષથી મુખ્યમંત્રીને મળવાનો પ્રયાસ કરું છું પરંતુ મને મળવા દેવામાં નથી આવતા. અમને માત્ર ખાતરી જ આપવામાં આવે છે મળવા માટેનો સમય નથી અપાતો. મેં 100 વાર ધક્કા ખાધા છે પણ મને મળવા નથી દેતા. હું કલાકથી બેઠો છું મને એવું લાગે છે કે હું મંદિર બહાર ભીખ માગવા બેઠો છું. મારી સાથે માણસા અને બાલાસિનોરના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ પણ ધરણા કરી રહ્યા છે. 


 



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .