અદાણી મામલે સંસદમાં વિપક્ષોનો હોબાળો, વિરોધ પક્ષોએ JPCની માગ કરી, કાર્યવાહી ઠપ


  • Published By :
  • Published Date : 2023-02-02 19:14:27

ગૌતમ અદાણીની કંપનીઓને લઈ હિંડેનબર્ગની રિપોર્ટ જાહેર થયા બાદ હડકંપ મચી ગયો છે. આજે વિરોધ પક્ષોએ અદાણી મુદ્દે કેન્દ્રની મોદી સરકારને સંસદમાં ઘેરી હતી, વિરોધ પક્ષોએ એકજુથ થઈ આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની દેખરેખમાં તપાસ કરવાની માગ કરી હતી. 


વિપક્ષોનો સંસદમાં હોબાળો 


આજે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે આ માત્ર એક પ્રમોટર અંગે નહીં, પરંતું સમગ્ર રેગ્યુલેટરી સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું LIC અને SBIમાં રહેલી મોટી રકમને પ્રધાનમંત્રીએ એવા ગ્રુપના હવાલે કરી દીધી જેના પર કોર્પોરેટ ફ્રોડનો આરોપ છે. દેશના લોકોની ડિપોઝીટની રકમને ડુબાડવામાં કોઈ કસર છોડી નથી. પીએમ મોદીએ એલઆઈસીના 29 કરોડ અને એલઆઈસીના 45 કરોડ ખાતાધારકોની સાથે દગો કર્યો છે. પવન ખેડાએ કહ્યું અમારી પાર્ટી ક્રોની કેપિટાલિઝ્મ વિરૂધ્ધ છે, દેશના કેટલાક પસંદગીના અબજોપતિઓ માટે નિયમ બદલીને ફાયદો પહોંચાડવામાં આવે છે, અને અમે તેનો વિરોધ કરીએ છીએ. 


સંસદની કાર્યવાદી ઠપ


સંસદના બજેટ સત્રના ત્રીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જેવો પ્રશ્ન કાળ શરૂ કર્યો કે તરત જ વિપક્ષે સંયુક્ત રીતે સુત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. વિપક્ષના સાંસદોએ હિડનબર્ગ રિપોર્ટ પર ચર્ચા કરવા અને સંયુક્ત સંસદીય સમિતી દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. જો કે હોબાળો વધી જતા લોકસભા અધ્યક્ષે કાર્યવાહી શુક્રવાર સુધી મુલત્વી જાહેર કરી હતી. આ જ પ્રકારે રાજ્ય સભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષે કાર્ય સ્થગનની જોગવાઈનવાળા નિયમ 267 હેઠળ અદાણી મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરી હતી, જો કે પ્રસ્તાન નામંજુર થતાં અંતે રાજ્યસભાની કાર્યવાહી મોકુફ જાહેર કરી હતી.  



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.