અદાણી મામલે સંસદમાં વિપક્ષોનો હોબાળો, વિરોધ પક્ષોએ JPCની માગ કરી, કાર્યવાહી ઠપ


  • Published By :
  • Published Date : 2023-02-02 19:14:27

ગૌતમ અદાણીની કંપનીઓને લઈ હિંડેનબર્ગની રિપોર્ટ જાહેર થયા બાદ હડકંપ મચી ગયો છે. આજે વિરોધ પક્ષોએ અદાણી મુદ્દે કેન્દ્રની મોદી સરકારને સંસદમાં ઘેરી હતી, વિરોધ પક્ષોએ એકજુથ થઈ આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની દેખરેખમાં તપાસ કરવાની માગ કરી હતી. 


વિપક્ષોનો સંસદમાં હોબાળો 


આજે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે આ માત્ર એક પ્રમોટર અંગે નહીં, પરંતું સમગ્ર રેગ્યુલેટરી સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું LIC અને SBIમાં રહેલી મોટી રકમને પ્રધાનમંત્રીએ એવા ગ્રુપના હવાલે કરી દીધી જેના પર કોર્પોરેટ ફ્રોડનો આરોપ છે. દેશના લોકોની ડિપોઝીટની રકમને ડુબાડવામાં કોઈ કસર છોડી નથી. પીએમ મોદીએ એલઆઈસીના 29 કરોડ અને એલઆઈસીના 45 કરોડ ખાતાધારકોની સાથે દગો કર્યો છે. પવન ખેડાએ કહ્યું અમારી પાર્ટી ક્રોની કેપિટાલિઝ્મ વિરૂધ્ધ છે, દેશના કેટલાક પસંદગીના અબજોપતિઓ માટે નિયમ બદલીને ફાયદો પહોંચાડવામાં આવે છે, અને અમે તેનો વિરોધ કરીએ છીએ. 


સંસદની કાર્યવાદી ઠપ


સંસદના બજેટ સત્રના ત્રીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જેવો પ્રશ્ન કાળ શરૂ કર્યો કે તરત જ વિપક્ષે સંયુક્ત રીતે સુત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. વિપક્ષના સાંસદોએ હિડનબર્ગ રિપોર્ટ પર ચર્ચા કરવા અને સંયુક્ત સંસદીય સમિતી દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. જો કે હોબાળો વધી જતા લોકસભા અધ્યક્ષે કાર્યવાહી શુક્રવાર સુધી મુલત્વી જાહેર કરી હતી. આ જ પ્રકારે રાજ્ય સભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષે કાર્ય સ્થગનની જોગવાઈનવાળા નિયમ 267 હેઠળ અદાણી મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરી હતી, જો કે પ્રસ્તાન નામંજુર થતાં અંતે રાજ્યસભાની કાર્યવાહી મોકુફ જાહેર કરી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.