યુધ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા શરૂ કરાયું ઓપરેશન કાવેરી, 3 હજાર લોકોને પરત લવાશે


  • Published By :
  • Published Date : 2023-04-24 18:29:38

ભારત સરકારે મહત્વનો નિર્ણય લેતા સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. ગૃહ યુધ્ધમાં સપડાયેલા સુદાનમાં કામ કરતા 500 જેટલા ભારતીયો હાલ પોર્ટ સુદાન પહોંચ્યા છે. આ તમામ લોકોને આઈએનએસ સુમેધા દ્વારા ભારત પરત લાવવામાં આવશે.   


વિદેશમંત્રીએ કર્યું  ટ્વીટ


વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે ટ્વીટરના માધ્યમથી વધુ જાણકારી આપતા કહ્યું કે અમે સુદાનમાં ફસાયેલા આપણા ભાઈઓની મદદ માટે પ્રતિબધ્ધ છીએ. સુદાનમાં હાલ સુરક્ષાની પરીસ્થિતી જટીલ છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિવિધ વિકલ્પો અપનાવવામાં આવી રહ્યા છે. એક સામાન્ય અનુમાન મુજબ સુદાનમાં હાલ 3 હજાર જેટલા ભારતીયો ફસાયેલા છે. આઈએનએસ સુમેધા સુદાન પહોંચી ગયું છે.


C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય


વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન એરફોર્સના  C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને જેદ્દાહમાં તૈનાત કર્યું છે. તે ઉપરાંત આઈએનએસ સુમેધા પણ પોર્ટ સુદાન પહોંચી રહ્યું છે. સરકારે સુપર હર્ક્યુંલસ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને પણ સ્ટેન્ડ બાય રાખ્યું છે


સુદાનમાં ગૃહયુધ્ધના કારણે હિંસા


આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચ લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સેના અને પેરા મિલિટરી  રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે દેશભરમાં ગૃહયુધ્ધ શરૂ થતા ભારતીયોની હાલત કફોડી થઈ છે. દેશની સત્તા કબજે કરવા માટે બંને સેના લડી રહી છે. ગૃહ યુધ્ધના કારણે દેશમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.