Operation Ajay : યુદ્ધ વચ્ચે Israelથી Delhi પહોંચ્યો ભારતીયોનો બીજો જથ્થો, ફ્લાઈટમાં સવાર ભારતીયોએ લગાવ્યા 'વંદે માતરમ'ના નારા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-14 10:24:05

આપણે જ્યારે ઘરથી દૂર હોઈએ ત્યારે ઘરની યાદ આવતી હોય છે. દેશથી દૂર હોઈએ ત્યારે દેશની યાદ આવતી હોય છે. વિદેશની ધરતી પર લોકો પોતાનો દેશ ખૂબ યાદ આવતો હોય છે અને જ્યારે એ દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે તો પોતાનો દેશ ખૂબ યાદ આવે છે. આવી જ કંઈ પરિસ્થિતિ ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની છે. ઈઝરાયેલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકો બેઘર થઈ રહ્યા છે. સતત હુમલાઓ થતા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે.

 

235 ભારતીય નાગરિકો સ્વદેશ પરત આવ્યા 

ભારતીયોને સુરક્ષિત રીતે ઈઝરાયેલથી ભારત પરત લાવવા ભારત સરકાર કાર્ય કરી રહી છે. ઓપરેશન અજયની શરૂઆત કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે ઓપરેશન અજય અંતર્ગત પેસેન્જરોથી ભરેલી પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી જેમાં 212 મુસાફરો હતા ત્યારે આજે પેસેન્જરોને લઈ બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. આજે જે ફ્લાઈટ આવી છે તેમાં 235 ભારતીય નાગરિકો આવ્યા છે. યાત્રીઓના અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ 'વંદે માતરમ'ના નારા લગાવી રહ્યા છે.   

ગઈકાલે પણ 212 ભારતીયોને ભારત સુરક્ષિત રીતે લવાયા હતા 

ઈઝરાયેલમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા જંગમાં હજારો લોકો બેઘર થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. ત્યારે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ગઈકાલે પણ 212 ભારતીયોને લઈ ફ્લાઈટ દિલ્હી આવી હતી ત્યારે પેસેન્જરોનો બીજો જથ્થો આજે આવી પહોંચ્યો છે. 232 ભારતીયો પરત ભારત સુરક્ષિત ફર્યા છે. સ્થાનિય સમયાનુસાર રાત્રે 11.00 વાગ્યાની આસપાસ ઉડાન ભરી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ભારતીયોને પરત લાવવા શરૂ કરાયેલું ઓપરેશન રવિવારે પણ કરવામાં આવશે.   



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.