ગુજરાતના પૂર્વ ગવર્નર ઓપી કોહલીનું નિધન, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-20 19:33:29

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી નેતા ઓપી કોહલીનું  87 વર્ષની વયે અવસાન થયું છે. ઓપી કોહલી  એટલે કે ઓમ પ્રકાશ કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા મારફતે આપ્યા છે. તેમણે લખ્યું કે,  મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે. આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી, નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 


CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી શ્રધ્ધાંજલી


ઓપી કોહલીના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રા્જય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. તેમના સરળ વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ. હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી શોક સંદેશો પાઠવ્યો છે, તેમણે લખ્યું કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, ભાજપના અગ્રણી નેતા ઓમપ્રકાશ કોહલીજીના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ છે, તેમનું સમર્પણ અને સેવાભાવ લોકોને હંમેશા પ્રેરણા આપતા રહેશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.