ભીખુસિંહ પરમારના કાર્યાલયમાં શરૂ થઈ ઓનલાઇન એપોઈનમેન્ટની સિસ્ટમ,કાર્યાલય બહાર લગાવાયું QR Code


  • Published By :
  • Published Date : 2023-02-11 15:31:16

આજનો જમાનો ડિજિટલનો જમાનો થઈ ગયો છે. દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર વડાપ્રધાન મોદી સતત ભાર આપતા રહે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પણ આ માર્ગે ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સૂચનો બાદ મંત્રીઓ આ અંગે કામ કરી રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલયમાં ઓનલાઈન એપોઈનમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં તમામ મંત્રીઓની ઓફિસમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 

 

ભીખુસિંહ પરમારે કરી ડિઝિટલ એપોઈનમેન્ટની શરૂઆત  

સમય સાથે દરેક વસ્તુમાં પરિવર્તન આવે છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરેક વસ્તુમાં નવીનતા લાવી શકાય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની કાર્યશૈલીમાં અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનેક લોકો મંત્રીઓને મળવા આવતા હોય છે. ત્યારે મુલાકાતે આવતા લોકો માટે ઓનલાઈન એપોઈનમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાની ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી છે. 


બારકોડ સ્કેન કરી મેળવી શકાશે એપોઈમેન્ટ 

જો હજી સુધી મંત્રીની મુલાકાત લેવી હોય તો કાર્યાલય ખાતે જઈ એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. પરંતુ હવે ઓનલાઈન એપોઈનમેન્ટ લેવાની લેશે. મંત્રીઓના કાર્યાલયની બહાર મોબાઈલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ રાખવામાં આવશે. આ કોર્ડને સ્કેન કરી મુલાકાત માટેની વિગતો ભરવાની રહેશે. આમ ઓનલાઈન એપોઈનમેન્ટના માધ્યમથી મંત્રીઓની મુલાકાત લઈ શકાશે. હજી તો એક જ મંત્રીએ આ કાર્યપદ્ધતિ અપનાવી છે. ત્યારે આવનાર સમયમાં આ સિસ્ટમ અનેક મંત્રીઓ માટે લાગુ કરવામાં આવશે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!