ડુંગળીના ભાવ આસમાને, માત્ર એક સપ્તાહમાં ભાવ રૂ. 70ને વટાવી ગયો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-10-31 22:33:34

ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારોની સીઝનમાં સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ વધતા સામાન્ય લોકોથી માંડીને સરકાર પણ ચિંતિંત છે. ગુજરાત સહિત દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ઓછા ઉત્પાદન અને સમયસર પુરવઠો ન મળવાને કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.  કેન્દ્રીય કન્ઝ્યુમર અફેર્સ વિભાગની વેબસાઈટ અનુસાર, ઉત્તર ભારતના મહત્વના રાજ્ય દિલ્હી અને દક્ષિણ ભારતના પુડુચેરીમાં ડુંગળીના ભાવ રૂ. 70ને વટાવી ગયા છે. ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર અને ભૂજમાં માત્ર એક સપ્તાહમાં રૂ. 30ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70 એટલે કે ડબલ ભાવે વેંચાઈ રહી છે.  ડુંગળીનાં ભાવમાં વધારો થતાં  પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 


શા માટે ભાવ વધ્યો?


રાજ્યમાં સ્થાનિક ખેડૂતોના ડુંગળીના પાક ઉપર માવઠું કહેર બનીને ત્રાટક્યું હોવાથી સ્થાનિક ઉત્પાદનમાં ગાબડું પડ્યું છે. વળી ગુજરાતમાં ડુંગળીનો જથ્થો કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવે છે. જો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે ડુંગળીના પાકને મોટું નુક્શાન થયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પર પણ અસર થઈ છે. જેને લઈને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો પૂર્વે સંગ્રહખોર વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવામાં આવતો હોવાને કારણે પણ ભાવમાં વધારો થતો હોવાની ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે. મિશ્ર વાતાવરણનાં કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડુંગળીનો નવો જથ્થો હજુ બજારમાં આવ્યો નથી. જેને લઇને પણ ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે તેમ છે, અને સારી ગુણવત્તાની ડુંગળીનાં ભાવો રૂ. 100ની સપાટી આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.


કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર બ્રેક લગાવી 


કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ માટે 800 ડોલર પ્રતિ ટનની ફ્લોર પ્રાઈસ નક્કી કરી ત્યાર પછી ભાવમાં તેજીને બ્રેક લાગે તેવી શક્યતા છે. નિકાસ પરના પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારે બફર સ્ટોક માટે બે લાખ ટન ડુંગળી ખરીદવાની જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં પાંચ લાખ ટનનો સ્ટોક ખરીદવામાં આવ્યો છે.કૃષિ બજાર સાથે સંકળાયેલા સૂત્રોના મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંથી નવો જથ્થો નહીં આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ ઉંચા જળવાઈ રહેવાની શક્યતા છે. કમસેકમ દિવાળી સુધી બજારમાં ઉંચા ભાવ જળવાઈ રહેવાની શક્યતા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!