વન નેશન વન ચલણ પ્રોજેક્ટ કરાયો શરૂ, કાયદાનો ભંગ કરી ચલાણ ન ભરનાર વિરૂદ્ધ કરાશે આ કડક કાર્યવાહી, સાંભળો શું કહ્યું IPS Safin Hasanએ?


  • Published By :
  • Published Date : 2024-01-17 14:27:15

જ્યારે આપણે કોઈ કાયદાનો ભંગ કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ કે કાયદો જ તોડવા માટે બનાવવામાં આવે છે. કાયદાનો ભંગ કરી લોકોને આનંદ થતો હોય તેવું ઘણી વાર લાગે છે. જો કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તો લોકોને કદાચ મૂર્ખ ગણતા હશે. રસ્તા પર મુખ્યત્વે લોકો હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ કરતા જોવા મળતા હોય છે. જો કોઈ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે તો ઈ મેમો ફાડવામાં આવે છે. કદાચ તમારા ઘરમાં પણ દંડ ભરવાનું ફરફરીયું આવ્યું હશે. પરંતુ જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ચેતી જજો કારણ કે રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ચલણ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે એનઆઈસીના સહયોગથી. મોબાઈલ એપ્લીકેશનમાં ઈ ચલણ એપ્લિકેશન 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે.

વન નેશન વન ચલણ પ્રોજેક્ટની કરાઈ શરૂઆત  

દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવવાની છે. ટ્રાફિકના નિયમો અંગે લોકો જાગૃત થાય, નિયમોનું પાલન કરે તે માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા. ત્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ દંડ ન ભરનાર લોકો વિરૂદ્ધ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. વન નેશન વન ચલણ અંતર્ગત જો ઈ ચલણની અવગણના કરી તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકના નિયમ ભંગ કરનારને મોબાઈલ નંબર પર જ એસએમએસ થકી ઈ-ચલણ મોકલી આપશે, જો વાહન ચાલક ઈચ્છે તો સ્થળ પર જ તે ઈ-મેમો ભરી શકે છે . 


જો ચલણની અવગણના કરી તો..

નવા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરતા સમયે જ દંડ ભરવાનો મોકો આપશે. જો તમે ન ભરો તો 90 દિવસમાં મોબાઈલ દ્વારા ઓનલાઈન ઈ-ચલણ ભરી શકશો. જો તમે આ સમયગાળા દરમિયાન દંડ નહીં ભરો તો વર્ચ્યુઅલ કોર્ટમા કાર્યવાહી કરવામાં આવશે. જો તે બાદ પણ દંડ નહીં ભર્યો હોય તો ફિઝિકલ કોર્ટમાં કેસ ચાલશે અને તે બાદ જેલની સજા પણ થઈ શકે છે. 


ટ્રાફિકના નિયમોને પાળવા લોકોને કરી પોલીસે અપીલ  

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન સારી રીતે કરે તે માટે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આ એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક પ્રશ્ન થાય કે શું આ નિયમો પોલીસ માટે પડશે કારણ કે અનેક વખત આપણે જોયું હશે કે પોલીસકર્મીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.  



ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.