એક મોઢું બે વાત: આ બાહુબલી ધારાસભ્ય કહેવા શું માંગે છે ?


  • Published By :
  • Published Date : 2022-11-09 14:04:05

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં ભાજપ દ્વારા હજી સુધી એક પણ ઉમેદવારનું નામ બહાર પાડવામાં નથી આવ્યું તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ 160 ઉમેદવારોનના નામ જાહેર કરી દીધા છે. વડોદરાની વાઘોડિયા બેઠક ચર્ચામાં આવી છે અહીંયા ધારાસભ્ય જે દબંગ ધારાસભ્યની છાપ ધરાવે છે મધુ શ્રીવાસ્તવ એક મોઢું બે વાતો કરી રહ્યા છે  

તેમણે પ્રતિક્રિયા આપી છે કે આ વખતે હું નહીં તો મારી પત્નીને ચુંટણી લડાવીશ અને પછી કહેવા લાગ્યા કે 'ના હું જ ચુંટણી લડીશ' આ ધારાસભ્યનું વ્યક્તિત્વ પહેલાથી જ કઈક અલગ રહ્યું છે તેઓને વિવાદોની ટોકરી કહીએ તો નવાઈ નથી 


ટિકિટ કપાવવાનો ડર ?

તાજેતરમાં એવી ચર્ચા હતી કે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાવાના પૂરેપૂરા એંધાણ છે. ભાજપ દ્વારા મધુ શ્રીવાસ્તવને વાઘોડિયા બેઠક પર ટિકિટ નહીં આપવામાં આવે.જેથી કદાચ મધુ શ્રી વાસ્તવએ આ મહત્વનું નિવેદન આપ્યું છે કે હું નહીં મારી પત્ની ચુંટણી લડશે 


વાઘોડિયા વિધાનસભા 

ભાજપ આ બેઠક પર 1998થી પ્રભુત્વ ધરાવે છે. ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવ મધુભાઈ આ બેઠક પર સતત પાંચ ટર્મથી ચુંટાઇ આવે છે. 1995માં તેઓ અપક્ષ લડયા હતા, ત્યારે પણ ચૂંટાયા હતા.ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ મધુભાઈને 63049 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. મધુભાઈ આ ચૂંટણીમાં વિજય થયા હતા. તેમણે થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે, નો રિપીટ થિયરી વાઘોડિયાના ધારાસભ્ય માટે નહીં હોય. એકંદરે તેઓ ચૂંટણી લડવા માંગે છે અને ટિકિટ નહીં આપે તો પણ તેમણે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે.


ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બાહુબલી નેતા માનવામાં આવે છે. તેઓ અવારનવાર વિવાદથી ઘેરાયેલા રહે છે. આમ તો ભાજપમાં શિસ્તના નામે ઘણા પગલાં લેવાય છે, પણ મધુ શ્રીવાસ્તવ તેમાં બાકાત હોય છે.

મધુ શ્રીવાસ્તવના પત્ની તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના પુત્રી પણ રાજકારણમાં સક્રિય હોવાનું જાણવા મળે છે. થોડા સમય પહેલા તેમના પુત્રને કોર્પોરેશનની ટિકિટ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બે સંતાનના નિયમના કારણે તેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.