વધુ એક યુવાનનું થયું Heart Attackને કારણે મોત, ઉદ્યોગપતિ અને Patidar સમાજના અગ્રણી કલ્પેશભાઈ તંતીનું થયું નિધન


  • Published By :
  • Published Date : 2023-08-16 10:15:42

દેશ અને દુનિયામાં હ્રદયના હુમલાથી નિધન થવાના બનાવો વધી રહ્યા છે, એક સમય હતો જ્યારે 50થી વધુ ઉંમરના લોકોને હુમલા આવતા હતા અને તેમના નિધન થઈ જતા હતા પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે 15-17 વર્ષના છોકરાઓનને પણ હુમલો આવવાના બનાવો સામે આવી રહ્યા છે અને તેમના નિધન થઈ રહ્યા છે. આ બધા બનાવોની વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે કે ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશભાઈ તંતીનું હ્રદય રોગના હુમલાથી અકાળે મોત નિપજ્યું છે. 



પૂજા દરમિયાન ખોડલધામના ટ્રસ્ટીને આવ્યો હાર્ટ એટેક  

46 વર્ષના ખોડલધામનાં ટ્રસ્ટી કલ્પેશભાઈ તંતીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવાર તથા લેઉવા પાટીદાર સમાજમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. કલ્પેશ ભાઈ રાજકોટના નાના મૌવા રોડ પર રાજ રેસીડેન્સીમાં પોતાના ઘરે ગઈકાલ સાંજે પૂજા કરી રહ્યા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે. ભગવાનની પૂજા કરવા દરમિયાન હાર્ટ એટેક આવતા પરિજનો તેમને દવાખાને લઈ ગયા હતા પરંતુ એ દરમિયાન તેમનું નિધન થઈ ગયું હતું.તેમની સ્મશાન યાત્રા નિકળી તેમાં અનેક પ્રકારના રાજકારણીઓ અને સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.

અચાનક મૃત્યુ થતાં સમાજમાં ફેલાઈ શોકની લાગણી  

કલ્પેશભાઈ તંતીની વાત કરીએ તો તે એક ઉદ્યોગપતિ હતા, બિલ્ડર હતા અને પાટીદાર સમાજમાં સામાજિક આગેવાન પણ હતા. કાગવડના ખોડલધામના ટ્રસ્ટી તરીકે તે સેવા પણ આપતા હતા અને લેઉવા પટેલ ટ્રસ્ટ સોમનાથમાં પણ ટ્રસ્ટી હતા. સામાજિક આગેવાનનું નિધન થતાં સમાજમાં ન પૂરાય તેવી ખોટ પડી છે. હમણા થોડા સમયથી હુમલાના બનાવો ઘણા વધી રહ્યા છે ગુજરાતના બનાવોની વાત કરીએ તે પહેલા ડોક્ટર પાસે જઈએ અને પૂછીએ કે તેમના મંતવ્યો મુજબ કારણો શું હોઈ શકે. 



યુવાનો બની રહ્યા છે હૃદય હુમલાનો ભોગ

આવા સતત બનાવો વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ બોલતા બોલતા તો કોઈ તો વળી બેઠા બેઠા ગુજરી જાય છે. ગુજરાતમાં બનાવો સામે આવ્યા તે ચોંકાવી દે તેવા છે. ક્રિકેટ રમવા જતા મોત થયું એ સાંભળીને હવે લોકોને નવું નથી લાગતું કે ક્રિકેટ રમતા રમતા મોત થયું પણ ગંભીરતાથી તેને જોવું પડશે કારણ કે એક સમયે 70 વર્ષના વ્યક્તિને હુમલો આવતો હતો હવે એ 15 કે 20 વર્ષના છોકરાઓને હુમલાઓ આવી રહ્યો છે. તેની પાછળના કારણો પણ નથી ખબર પડી રહ્યા છે. 



શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભરખી રહ્યો છે કાળ રૂપી હાર્ટ એટેક  

હમણા જ ગુરુ પૂર્ણિમાં ગઈ તેમાં બે બનાવો બન્યા હતા, 17 વર્ષનો વિદ્યાર્થી ક્લાસમાં બેઠો હતો અને ઢળી પડે છે દવાખાને લઈ જવામાં આવે છે તો ડોક્ટર કહે છે મુદિત નડિયાપરા હવે આ દુનિયામાં નથી. તેના પહેલાના દિવસે જ અરવલ્લીના મોડાસામાં વીસ વર્ષના પર્વ સોનીનું હૃદય હુમલાને કારણે મોત થઈ જાય છે. હમણા સુરતના ઓલપાડના નરથાણા ગામમાં પણ નિમેશ આહીરનું હાર્ટ એટેકથી મોત થયું હતું, 


રાજકોટના શાસ્ત્રીનગરના મયૂર મકવાણાનું ક્રિકેટ રમતા મોત થયું હતું, રાજકોટના રેસકોર્સમાં તો ગાડી ચલાવતા ચલાવતા એકભાઈને એટેક આવી ગયો હતો, દ્વારકાના ધરમપુરના પ્રવીણભાઈ કંજરિયાનું 26 વર્ષે હુમલાના કારણે મોત થયું હતું, હમણા ત્રણ તારીખે ગુરુપૂર્ણિમાના દિવસે તો કોઈએ સપને પણ ના વિચાર્યું હોય તેવું થયું હતું, એક 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુરુપૂર્ણિમાની તૈયારી કરી રહ્યો હતો અને ગુરુની સેવા કરતા કરતા તે પૂરી ન થઈ શકે તેવી નિંદ્રામાં જતો રહ્યો, એજ દિવસે જૂનાગઢના ચોરવાડમાં 17 વર્ષના છોકરાનું નાળિયેરીના વાડીમાં કામ કરતા કરતા મોત થઈ ગયું હતું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!