સિરપકાંડમાં વધુ એક વ્યક્તિનું થયું મોત, આરોપીના પિતાનું થયું મોત, જાણો કેટલે પહોંંચ્યો મોતનો આંકડો?


  • Published By :
  • Published Date : 2023-12-06 16:12:38

ખેડામાં બિલોદરા નશા કારક સીરપ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલામાં મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

One more death in the Nadiad syrup scandal, with the death of the accused's father taking the toll to 6 નડિયાદ સીરપકાંડમાં વધુ એકનું મોત, આરોપીના પિતાના મોત સાથે આંકડો 6 પર પહોંચ્યો

કેમિકલ લાવીને અન્ય પદાર્થો ઉમેરીને બનાવાતી હતી સીરપ!

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ કેસનો આરોપી યોગેશ સિંધી ઉર્ફે યોગીએ આ સિરપ નડિયાદ સ્થિત પોતાની ફેકટરીમાં બનાવી હતી. આ સિરપ બનાવવા જેલમાં રહેલા એક આરોપી અને તેનો અન્ય વ્યક્તિ સાથે મળીને આ સિરમ ફોર્યુમુલા મેળવીને સમગ્ર કારોબાર ચલાવતો હતો. આ સિરપ બનાવવા ઇથેનોલ જેવું અન્ય કેમિકલ મુંબઈના તોફિક નામના રિટેલર પાસેથી લાવવામાં આવતુ હતુ. આ કેમિકલ લાવીને અન્ય પદાર્થ ઉમેરી ફેકટરીમાં જ આ બોટલો પેક કરવામાં આવતી હતી. યોગીએ દવાઓ બનાવવા માટેનું લાયસન્સ પણ મેળવ્યુ હતુ. જેની આડમાં તે નશા કારક સિરપ બનાવવાનો ગોરખ ધંધો ચલાવતો હતો.


સિરપકાંડના મુખ્ય આરોપી ઈશ્વર સોઢાના પિતાનું થયું મોત!

ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડમાં વધુ એકનું મોત થયું છે. વિગતો મુજબ બિલોદરામાં સાંકળ સોઢા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક સાંકળ સોઢા બિલોદરા સીરપ કાંડના મુખ્ય સિરપ વેંચનાર આરોપીના પિતા હોવાનું સામે આવ્યું છે. કિશોર સોઢા અને ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે. વિગતો મુજબ દેવ દિવાળીના પર્વ પર સાંકળભાઈએ સીરપની બોટલ પીધી હતી. જે બાદમાં અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. 


સિરપને જિલ્લાઓ સુધી પહોંચાડવા માટે બનાવાયું હતું નેટવર્ક!

આ કેમિકલ લાવી પોતાની મોકમપૂરા સ્થિત ફેકટરીમાં જ આ સિરપ બનાવવામાં આવતી હતી. રો મટીરીયલ લાવી સિરપ બનાવીને ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં પહોંચાડવા સુધીનું નેટવર્ક બનાવેલું હતું. પોલીસે ગતરોજ કેમિકલ આપનાર મુંબઈના રિટેલર તોફિકની પણ ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.