દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક અધિકારીની કરવામાં આવી ધરપકડ, જાણો આ કેસમાં શું થયો નવો ખુલાસો?


  • Published By :
  • Published Date : 2024-02-22 18:13:44

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી ટોલનાકુ પકડાય છે તો કોઈ વખત નકલી અધિકારી પકડાય છે. ત્યારે થોડા સમય પહેલા દાહોદમાં નકલી કચેરી પકડાઈ હતી. નકલી કચેરી પકડાતા અનેક સવાલો ઉભા થયા હતા કે કોઈને ખબર કેવી રીતે ના પડી કે આખે આખી નકલી કચેરી ચાલી રહી છે? ત્યારે નકલી કચેરી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નકલી કચેરી મામલે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે તેમનું નામ સંજય પંડ્યા છે. હજી સુધી આ કૌભાંડ 18.59 કરોડનું હતું પરંતુ હવે આ કૌભાંડ વધીને 25 કરોડને પાર થઈ ગયું છે.  


સંજય પંડ્યાની કરવામાં આવી નકલી કચેરી કેસ મામલે ધરપકડ! 

દાહોદમાં ચાલતી નકલી કચેરીનો પર્દાફાશ થયો હતો. નકલી કચેરી ઉભી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અંદાજીત 18 કરોડને પાર આ કૌભાંડનો આંકડો પહોંચી ગયો છે. આ મામલો સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ ગઈ ગયો છે. નકલી કચેરી બનાવવા પાછળ અસલી અધિકારીઓ પણ સામેલ છે તેવી વાત તપાસ દરમિયાન ખુલ્લી પડી હતી. હજી સુધી આ કેસમાં 13 જેટલા લોકોની સંડોવણી સામે આવી હતી ત્યારે આજે વધુ એક અધિકારીની સંડોવણી સામે આવી છે. તત્કાલીન પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. સંજય પંડ્યા હાલ અમદાવાદના સ્પીપા ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે પરંતુ 2022થી 2023 દરમિયાન દાહોદમાં તે પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. 


કૌભાંડની રકમ વધીને આટલા પર પહોંચી!

આ કેસમાં થોડા દિવસ પહેલા જ પોલીસે ચાર્જ સીટ દાખલ  કરી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જ સીટમાં 7 બેંકોના એકાઉન્ટના 200 સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં એક પુર્વ  IAS બાબુ નીનામા સહીત 13 આરોપીને અગાઉ પોલીસએ ઝડપી પાડયા હતા ત્યારે આજે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડની રકમ 25 કરોડને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે આ કેસમાં આગળ પણ વધુ લોકોના નામો સામે આવી શકે છે..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.