Loksabha ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું! AAP બાદ Congressના આ ધારાસભ્ય છોડી શકે છે પોતાનું પદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 09:57:12

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું ઉપરાંત ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. મધ્ય ગુજરાતની એક બેઠક હાલ ચર્ચામાં છે જેના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. જે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેમાં સૌથી પહેલું નામ ચીરાગકુમાર અરવિંદ પટેલનું ચાલી રહ્યું છે. ચિરાગ પટેલ ખંભાત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. મહત્વનું છે કે 182 બેઠકો પર ધારાસભ્યો હતા પરંતુ ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સંખ્યાબળ 181 પર પહોંચ્યો છે. ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે.   


કોંગ્રેસની સંખ્યાબળ ઘટીને 16 થઈ શકે છે!

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપી શકે છે. આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટીને 16 થઇ શકે છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના હજી વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 


ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું 

મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામુ પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. જ્યારે હવે આધારભૂત સૂત્રોના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસના એક ધારાસભ્ય ચિરાગ પટેલ પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ શકે છે.


ભાજપના આ ઉમેદવારને આપી હતી માત

ચિરાગ પટેલ કોણ છે તેની વાત કરીયે તો 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જુના કાર્યકર ગણાય છે.


કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા પડી શકે છે મોટો ફટકો!

અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે, તેને જોઇને લાગી રહ્યુ છે કે ભાજપ દ્વારા લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહેલી તકે જ ભાજપ દ્વારા જોડ-તોડની નીતિ શરુ કરી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભાજપ માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય.


રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ કહી હતી આ વાત

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણી હવે ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે. રાજીનામું આપતા પહેલા ભૂપત ભાયાણીએ મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે, હું ભાજપનો જ કાર્યકર હતો. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને મારે જનતા માટે કામ કરવાના છે. 


ધારાસભ્યોનું પક્ષ છોડવું જાણે નોર્મલ બન્યું!

મહત્વનું છે કે ચિરાગ પટેલે આ વાતની પુષ્ટિ નથી કરી. ધારાસભ્યોનું પક્ષ છોડી દેવું હવે એટલી નોર્મલ વાત થઈ ગઈ છે કે અમારે નૈતિકતાની કોઈ વાતો કરવી નથી. ત્યારે મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે મંગળ સાબિત થાય છે કે અમંગળ તે તો સમય જ બતાવશે..! 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!