વધુ એક નેતાએ કોંગ્રેસને અલવિદા કહ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 13:30:03

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ટિકિટ વહેંચણીના સમયે દિગ્ગજ નેતાઓની નારાજગી ઉભરીને સામે આવી રહી છે. આંતરિક વિખવાદ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે. ભાજપમાંથી જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજીનામું આપી દીધું છે. તો કોંગ્રેસમાંથી કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે.  



હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક ચૂંટણીની જાહેરાત થતાં જ જોડ-તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ડખા દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે જેને કારણે રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાંશુ વ્યાસ ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.