ગોપાલ ઈટાલીયા સામે વધુ એક ફરીયાદ, કૃષ્ણ ભગવાન પર શું કરી હતી ટીપ્પણી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 13:46:07

શ્રીકૃષ્ણ ભગવાન પર શું કરી હતી ટીપ્પણી?

વાત આખી એમ છે કે અરવિંદ કેજરીવાલ દ્વારકાની મુલાકાતે હતા, ખેડૂતો માટે મફત વિજળીની જાહેરાત કરી હતી, ગોપાલ ઈટાલીયા સંબોધન કરી રહ્યા હતા, ત્યાં આ વાક્ય એ બોલ્યા હતા શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. આહિર સમાજના એક યુવક અમિત આહિરની ધાર્મીક લાગણી એમાં દુભાઈ અને એટલે ભાવનગરના ઉમરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે પણ આઈપીસી 295એ, આઈપીસી 298એની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ પહેલા સુરતમાં ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી કહેતા ફરીયાદ થઈ

હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી અને ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી ગોપાલે કહ્યું હતું તો એની સામે સુરતમાં ફરીયાદ નોંધાઈ હતી, હવે એક એફઆઈઆરના ચક્કરમાંથી ઈટાલીયા બહાર આવે એ પહેલા બીજી ફરીયાદ થઈ ગઈ છે.

 

હજું ચૂંટણી પહેલા બીજું ઘણું બધુ થશે?

ગોપાલ ઈટાલીયાના જૂના વિડીયો ચૂંટણી પહેલા માર્કેટમાં આવવાની પુરી સંભાવના છે જેમાં એ હિંદૂ ધર્મ, સભ્યતા, બ્રાહ્મણ અને કથાકારો માટે બેફામ બોલી ચુક્યા છે, પણ ત્યારે એ રાજનીતિમાં નહોતા, હવે જૂની વાતો ગમે ત્યારે બહાર આવી શકે છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે