ગોપાલ ઈટાલીયા સામે વધુ એક ફરીયાદ, કૃષ્ણ ભગવાન પર શું કરી હતી ટીપ્પણી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 13:46:07

શ્રીકૃષ્ણ ભગવાન પર શું કરી હતી ટીપ્પણી?

વાત આખી એમ છે કે અરવિંદ કેજરીવાલ દ્વારકાની મુલાકાતે હતા, ખેડૂતો માટે મફત વિજળીની જાહેરાત કરી હતી, ગોપાલ ઈટાલીયા સંબોધન કરી રહ્યા હતા, ત્યાં આ વાક્ય એ બોલ્યા હતા શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. આહિર સમાજના એક યુવક અમિત આહિરની ધાર્મીક લાગણી એમાં દુભાઈ અને એટલે ભાવનગરના ઉમરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે પણ આઈપીસી 295એ, આઈપીસી 298એની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ પહેલા સુરતમાં ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી કહેતા ફરીયાદ થઈ

હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી અને ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી ગોપાલે કહ્યું હતું તો એની સામે સુરતમાં ફરીયાદ નોંધાઈ હતી, હવે એક એફઆઈઆરના ચક્કરમાંથી ઈટાલીયા બહાર આવે એ પહેલા બીજી ફરીયાદ થઈ ગઈ છે.

 

હજું ચૂંટણી પહેલા બીજું ઘણું બધુ થશે?

ગોપાલ ઈટાલીયાના જૂના વિડીયો ચૂંટણી પહેલા માર્કેટમાં આવવાની પુરી સંભાવના છે જેમાં એ હિંદૂ ધર્મ, સભ્યતા, બ્રાહ્મણ અને કથાકારો માટે બેફામ બોલી ચુક્યા છે, પણ ત્યારે એ રાજનીતિમાં નહોતા, હવે જૂની વાતો ગમે ત્યારે બહાર આવી શકે છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.