વધુ એક કંપની કરશે 2000 કર્મચારીઓને ઘરભેગા, જાણો કઈ કંપનીએ લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-02-22 12:25:34

મોટી મોટી કંપનીઓ આજકાલ કર્મચારીઓની છટણી કરી રહી છે. વિશ્વભરની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક મોટી કંપની McKinseyનું નામ ઉમેરાઈ શકે છે.  McKinsey કંપનીમાં 45000 જેટલા લોકો કામ કરે છે જેમાંથી 2000 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો એક રિપોર્ટ સામે આવ્યો છે.  McKinsey એક કન્સલટિંગ ફર્મ છે જે પોતાના કસ્ટમરને પોતાના ગોલ પર પહોંચવા માટે મદદ કરે છે. 


McKinsey ફર્મ કરશે કર્મચારીઓની હકાલપટ્ટી

વિશ્વભરમાં મોટી કંપનીઓ તેમના કર્મચારીઓની હકાલપટ્ટી સતત કરી રહી છે. મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. અત્યાર સુધીમાં ટ્વિટર, ફેસબુક, મેટા, એમેઝોન, ડિઝ્ની લિંકડીન જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક કંપનીના નામનો સમાવેશ થવા જઈ રહ્યો છે.  McKinsey તેના કસ્ટમર્સ માટે સ્ટાફ કટિંગના પ્લાનવાળી ફર્મ છે. કંપની એવા લોકોને ઘરભેગા કરશે જેમનું ક્લાઈન્ટ સાથે કોઈ લેવા દેવા નથી.


આ અગાઉ અનેક કંપનીએ કર્મચારીઓને કર્યા છે ઘરભેગા 

આ કંપનીમાં 45000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર 2000 જેટલા કર્મચારીની કંપની છટણી કરવાની છે. છેલ્લા થોડા સમયમાં કંપનીએ સારો ગ્રોથ કર્યો છે. પાંચ વર્ષ પહેલા આ કંપનીમાં 28000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા જે વધી છે. હાલ કર્મચારીઓની સંખ્યા 45000 થઈ ગઈ છે. 2012માં માત્ર 17000 કર્મચારીઓ જ કંપનીમાં હતા. કંપનીના અધિકારીએ જણાવ્યું કે કસ્ટમર્સ સાથે ડીલ કરનાર લોકોની ભરતી કંપની કરતી રહેશે. હાલ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે