ડમી કાંડમાં વધુ એક આરોપીને ઝડપી પડાયો! મિલન બારૈયા બાદ આ આરોપી વિરૂદ્ધ થઈ કાર્યવાહી, હજી સુધી આ મામલે આટલા લોકોની થઈ છે ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-20 14:14:54

ડમીકાંડ મામલામાં રોજે રોજ નવી માહિતી સામે આવી રહી છે. ભાવનગર પોલીસ દ્વારા આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસને લઈ એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ડમી કાંડ મામલે વધુ બે આરોપીઓ ઝડપાયા છે. મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે આઠ જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે. 

ભાવનગર ડમીકાંડમાં કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, 36 વિરૂદ્ધ  નોંધ્યો ગુનો | Court grants 7 day remand of accused in Bhavnagar dummy case

આ મામલે આઠ આરોપી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી!   

થોડા સમય પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવા મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. યુવરાજસિંહ દ્વારા નામ આપવામાં આવ્યા હતા. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે હજી આની પહેલા 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વધુ બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. મિલન બારૈયા તેમજ વિરમદેવસિંહને પકડી પાડવામાં આવ્યા છે. 


મિલન બારૈયાએ ડમી ઉમેદવાર બની આપી સાત પરીક્ષાઓ! 

ડમી ઉમેદવાર બની અનેક પરીક્ષાઓ આપી છે. મળતી માહિતી અનુસાર આરોપી વિરમદેવસિંહ એસટી વિભાગમાં ફરજ નિભાવે છે. તેણે 2017માં શરદના કહેવાથી ગ્રામસેવકની પરીક્ષા આપી હતી. મિલન બારૈયા એ ડમી ઉમેદવાર બની સાત જેટલી પરીક્ષાઓ આપી છે. મળતી માહિતી અનુસાર ડમી ઉમેદવાર બની આ પરીક્ષાઓમાં મિલન બારૈયાએ સાત પરીક્ષાઓ આપી હતી. જો પરીક્ષાઓની વાત કરીએ તો વર્ષ 2020માં ભાવનગર સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તે જ વર્ષે વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 2022માં કવિત.એ.રાવના ડમી ઉમેદવાર તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ભાવેશ રાઠવાના ડમી ઉમેદવાર બની 2022માં પરીક્ષા આપી હતી. રાજપરાના એક વિદ્યાર્થીના ડમી ઉમેદવાર તરીકે 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. અમરેલીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તે ઉપરાંત 2022મં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. ત્યારે મિલન બારૈયા અંગે વિચાર કરીએ તો જો મિલન બારૈયાએ પોતે જ પોતાના માટે પરીક્ષા આપી હોત તો આજે એક સારી જગ્યા પર હોત.   


યુવરાજસિંહને આ મામલે પાઠવવામાં આવ્યું હતું સમન્સ પરંતુ તે હાજર ન થયા!

અને દરેક પરીક્ષા માટે મિલન બારૈયા 25 હજાર રુપિયા લેતો હતો. આ મામલે 8 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ડમી કાંડ મામલે યુવરાજસિંહની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. થોડા દિવસો પહેલા બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાવનગર એસઓજી દ્વારા યુવરાજસિંહને સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું. ગઈકાલે બાર વાગ્યા સુધીમાં યુવરાજસિંહને હાજર થવાનું હતું પરંતુ અચાનક તેમની તબિયત બગડી જતા તે હાજર થયા ન હતા. જે બાદ આ મામલે તેમણે ટાઈમ માંગ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થઈ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. આ મામલે શિક્ષણમંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.