ફરી એક વખત Yuvrajsinhએ કરી પત્રકાર પરિષદ, શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-08 17:10:51

આપણે ત્યાં જેટલી ભરતી હોય છે તેટલા કૌભાંડ થાય છે તેવું કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. અનેક વખત આપણી સામે એવા અનેક દાખલા હોય છે જેને જોઈ લાગે કે દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. અનેક કૌભાંડના ઘટસ્ફોટ આપણી સામે થતા હોય છે. જે પ્રમાણે, એટલા મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવે છે તે જોતા લાગે કે આટલા બધા પૈસા ભેગા કરીને લોકો ક્યાં જશે? ત્યારે વધુ એક કૌભાંડનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે. 

શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને યુવરાજસિંહે ખુલ્લો પાડ્યો! 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા અનેક વખત એવા ઘટસ્ફોટ કરવામાં આવે છે જેને સાંભળીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એક તરફ શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે ત્યારે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે યુવરાજસિંહે પ્રેસ કોનફરન્સ કરી હતી જેમાં તેમણે પુરાવા પણ પેશ કર્યા હતા. શિક્ષક બનવા માટે પણ 25 લાખ રૂપિયા લેવામાં આવે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.