ફરી એક વખત કાળઝાળ ગરમીનો કરવો પડશે અહેસાસ! તાપમાનમાં થશે વધારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-01 08:49:26

થોડા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. માવઠાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવેથી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદીઓએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં ગરમીનું જોર વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે. 



અમદાવાદ માટે યલો એલર્ટ કરાયું જાહેર!

તાપમાનમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં હળવો નહીં પરંતુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. અચાનક પડેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ આવ્યો હતો. કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસો માટે તાપમાન વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદ માટે આજે અને 4 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



કમોસમી વરસાદને કારણે મે મહિનામાં નોંધાયું ઓછું તાપમાન! 

ઉલ્લેખનિય છે કે મે મહિના દરમિયાન કાળઝાળ ગરમી પડતી હોય છે. આ વખતે મે મહિનામાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. પરંતુ વચ્ચે વચ્ચે પડતા વરસાદને કારણે તાપમાનમાં ફેરફાર આવતો રહેતો હતો.  સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાતું હોય છે પરંતુ આ વર્ષે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પરંતુ જૂન મહિનામાં ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


ગુજરાતમાં ચોમાસાને લઈ કરવામાં આવી આગાહી!

15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસુ મોડું બેસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે. સૌથી પહેલું ચોમાસુ કેરળમાં બેસતું હોય છે. પરંતુ આ વખતે કેરળમાં જ ચોમાસુ 15 જૂન આસપાસ બેસવાનું છે. એટલે ગુજરાતમાં 22 જૂન બાદ ચોમાસું બેસી શકે છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.