ફરી એક વખત ધ્રૂજી દિલ્હીની ધરા


  • Published By :
  • Published Date : 2023-01-01 10:12:35

દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરની મોડી રાત્રે ભૂકંપ અનુભવાયો હતો. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંચકા આવ્યા હતા. મોડી રાત્રે લગભગ 1.20 કલાકે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે મોડી રાત્રે આ ભૂકંપ આવ્યો હતો જેનું મુખ્ય કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું.

 


3.8 તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વર્ષના પ્રથમ દિવસે જ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં કોઈ જાનહાની નથી થઈ. આ અગાઉ 29 નવેમ્બરે દિલ્હીની ધરા ધ્રૂજી હતી. તે વખતે 2.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર હતો. 


નવેમ્બરમાં અનેક વખત દિલ્હીમાં અનૂભવાયા છે આંચકા 

29 નવેમ્બર પહેલા 12 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે દિલ્હીની સાથે ઉત્તરાખંડની પણ ધરા ધ્રૂજી હતી. ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે પહેલા 9 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે ન કેવળ દિલ્હીની ધરા ધ્રૂજી હતી પરંતુ 7 રાજ્યોમાં ભૂકંપની અનુભૂતિ થઈ હતી. નેપાળ, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકોના મોત પણ થયા હતા. ઉપરાંત ઘણું નુકસાન પણ થયું હતું.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.